મૃત્યુ તમને જીવનની વાસ્તવિકતા સાથે સંપર્કમાં લાવે છે મૃત્યુ એક શૂન્યાવકાશ સર્જે છે. શૂન્યાવકાશ ચેતના ના પ્રગટ થવા માટેની ફળદ્રુપ જમીન છે. બધી પ્રતિભા, શોધ, સર્જનાત્મકતા શૂન્યાવકાશમાંથી પ્રગટ થાય છે, અને આખું સર્જન પાછું શૂન્યાવકાશમાં વિલીન થઇ જાય છે.
ભરત કહે છે, "જ્યારે તમે શૂન્યને ટાળો ત્યારે બધી સમસ્યાઓ સર્જાય છે!" (હાસ્ય)
વિશ્વના બધા ધર્મોના પૂજાના સ્થળો સ્મ્શાન / કબ્રસ્તાન સાથે જોડાયેલા છે, કારણ કે માત્ર મૃત્યુ જ વૈરાગ્ય લાવી શકે છે તમને જ્ઞાનમાં સ્થાપિત કરી શકે છે. ભારતીય પૌરાણિક કથા અનુસાર, શિવનું નિવાસસ્થાન કૈલાસ પર્વત તેમજ સ્મશાન બન્ને છે.
કૈલાસનો અર્થ થાય છે "જ્યાં માત્ર ઉજવણી છે", અને સ્મશાન એ જગ્યા છે જ્યાં માત્ર શૂન્યાવકાશ છે. આમ દિવ્યતા શૂન્યાવકાશ તેમજ ઉત્સવ બન્નેમાં રહે છે. તમારામાં શૂન્યાવકાશ છે, તમારામાં ઉત્સવ છે!