Wednesday, 23 August 2017

ગણેશ ઓમ


વૈજ્ઞાનિકો એ શોધ્યું છે કે માનવના એક રંગસૂત્ર (ડી.એન.એ.) ની અંદર પૃથ્વીના બાકીના બધા જ પ્રાણીઓના રંગસૂત્ર મળી આવે છે. તેથી, આપણી અંદર દરેક પ્રાણીના ગુણધર્મો જોવા મળે છે - આ વાત આપણા પૂર્વજોને પ્રાચીન સમયથી ખબર હતી.

હાથીના મુખ્ય ગુણ શાણપણ અને સહજતા છે. હાથી અવરોધની બાજુમાંથી નીકળતો નથી, કે પછી તેમનાથી રોકાતો નથી - તે તો માત્ર અવરોધને દૂર કરીને સીધા જ આગળ વધે છે. ઉદાહરણ તરીકે, જો તેમના માર્ગમાં વૃક્ષો આવે, તો તેઓ તે વૃક્ષોને જડમૂળમાથી ઉખાડીને આગળ વધશે. તેથી, જ્યારે આપણે ભગવાન ગણેશની પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી અંદર રહેલા આ હાથીના ગુણો પ્રકાશિત થાય છે અને આપણામાં તે ગુણો પ્રકટે છે. એનું કારણ એ છે કે આપણે જેના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, તેના ગુણો આપણામાં પ્રક્ટે છે. તેથી જો તમે હાથીનું માથું ધરાવતા ગણેશ પ્રત્યે ધ્યાન ધરશો, તો તમે હાથીના ગુણ મેળવશો. તમે બધા અવરોધોને દૂર કરી શકશો.

પ્રાચીન ઋષીઓ અત્યંત બુધ્ધિશાળી હતા - તેઓ ઇશ્વરને શબ્દોની જગ્યાએ પ્રતિક રૂપે વ્યક્ત કરવાનું પસંદ કરતા, કારણ કે શબ્દો કાળક્રમે બદલાય છે, પરંતુ પ્રતીકો યથાવત રહે છે. દાખલા તરીકે, કોઈ પણ ભાષામાં, ખોપડી અને બે ત્રાંસા હાડકા ભય દર્શાવે છે. તેવી જ રીતે, ગણેશ 'શુભ' (શુકન) અને 'લાભ' (સમૃદ્ધિ) દર્શાવે છે.

હાથીમાં વિશેષ ગુણો છે. તેનું મોટું પ્રભાવી માથું જ્ઞાન અને શાણપણ દર્શાવે છે. તેના સૂપડા જેવા મોટા કાન અને નાની આંખો દર્શાવે છે કે જે દેખાય છે તે અનુસરવાને બદલે તમે જે સાંભળો છો અને સમજો છો તે માનવામાં ડહાપણ છે. તમે જે છો અને જે સાંભળો છો તે સુસંગત હોવું જોઈએ. હાથી તેની સૂંઢને બે કાર્યો માટે વાપરે છે - તે તેના દ્વારા સૂંઘે છે અને તેના દ્વારા કામ કરે છે. તેવી જ રીતે શાણા લોકો પહેલા સૂંઘે છે (તપાસ કરે છે) અને પછી કામ કરે છે. કોઈ વસ્તુની જરા પણ ગંધ આવતા (જેમ કે ધુમાડાની ગંધ!) જ્ઞાની વ્યક્તિ તાત્કાલિક પગલાં લેશે.

તો ગણેશનું શું મહત્વ છે? - શિવ અને પાર્વતી (આ શબ્દ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે) ઘણા ઉત્સાહ સાથે ઉત્સવ ઉજવતા હતા અને પાર્વતીનું શરીર ગંદુ બની ગયું - તે દર્શાવે છે કે ઉજવણી સરળતાથી રાજસિક અથવા અશાંત બની શકે છે અને તમને તમારા કેન્દ્રથી (સ્વથી) દૂર લઇ જાય છે, તેથી તેણીએ તેના શરીરમાંથી બધી ગંદકી દૂર કરી (જે અજ્ઞાનતા નું પ્રતિક છે) દૂર કરી અને એમાંથી એક મૂર્તિ (ગણેશ) બનાવી. તેણે મૂર્તિને પ્રાણ આપ્યા અને કહ્યું કે તે સ્નાન કરે ત્યારે દરવાજાની ચોકી કરવી .જ્યારે શિવ (સંપૂર્ણ નિર્દોષતા, શાંતિ અને જ્ઞાનનું પ્રતિક) કૈલાસામાં પાછા ફર્યા ત્યારે તેમનો પુત્ર તેમને ઓળખી ન શક્યો અને તેમનો માર્ગ રોકીને અંદર પ્રવેશતા અટકાવી દીધા. આ બતાવે છે કે અજ્ઞાન (ધૂળ) ડહાપણ અથવા નિર્દોષતાને ઓળખતું નથી, તેમ છતાં સત્યને અજ્ઞાનતાથી અટકાવી શકાય છે. શિવ ભગવાને દિકરાનું માથું - અજ્ઞાનતાનું પ્રતિક - કાપી નાખ્યું અને અંદર દાખલ થયા. પરંતુ જ્યારે પાર્વતીને ખબર પડી કે તે શું થયું છે ત્યારે તેમણે શિવને સમજાવ્યું કે તે છોકરો તેમનો પુત્ર હતો અને તેને સજીવન કરો. તેથી શિવ ભગવાને તેમના ગણોને આદેશ આપ્યો કે જે પહેલી વ્યક્તિ મળે જેનું માથું ઉત્તર તરફ હોય (ઊર્જાના કુદરતી પ્રવાહ સાથે સંમિલિત હોય) તેનું માથું કાપીને લઇ આવે. તેમણે દૂર દૂર સુધી શોધ કરી અને છેવટે તેમને એક હાથી મળ્યો તેથી તેઓ હાથીનું માથું કાપીને લઇ આવ્યા. શિવે હાથીનું માથું ધડ પર મૂકીને સજીવન કર્યા અને આમ ગણેશ બન્યા.

ગણેશને હંમેશા મોટા પેટ સાથે દર્શાવવામાં આવે છે - તે તેમની ઉદારતા અને સંપૂર્ણ સ્વીકૃતિ નું પ્રતિક છે. એવી વાર્તા છે કે એક દિવસ ગણેશે એટલું બધું દૂધ પીધું કે તેમનું પેટ ફાટી ગયું, તેથી તેમણે નાગને પકડી ને તેમના પેટની આસપાસ બાંધી દીધો. આ દર્શાવે છે કે ઊંડી જાગૃતતા વગર લોકો અને પરિસ્થિતિઓને સ્વીકારવાનું (મોટું પેટ)કોઈ મૂલ્ય નથી (આ તો આપણે જ્યારે ઊંઘી રહ્યા છીએ ત્યારે લોકોને સ્વીકારવા જેવું છે! તે સહેલું છે!). પરંતુ, જ્યારે જાગૃતિ આવે છે - નાગ મહાન સતર્કતાનું પ્રતિક છે - ત્યારે તે સાચી સ્વીકૃતિ અને પ્રેમ છે. ગણેશનો એક હાથ ઊંચે છે અભય મુદ્રામાં છે એનો અર્થ 'ડર નહીં - હું તારી સાથે છું' અને તેમનો બીજો હાથ નીચે તરફ વરદ મુદ્રામાં છે (વરદાન આપવાનું પ્રતિક છે) તેનો અર્થ છે - નિરંતર દાન અથવા નીચે નમવાનું આમંત્રણ. (નીચે નમવાનો અર્થ એ છે કે ફરી પૃથ્વી સાથે એકરૂપ થવું, આપણે છેવટે પૃથ્વીમાં પાછા સમાઇ જઈશું તે સત્યને સ્વીકારવું.ગર્ભાશયમાં આપણે એવી સ્થિતિમાં હોઇએ છે જ્યાં આપણું માથું વળી ગયું છે, આપણું શરીર એક વર્તુળાકારે છે. જન્મ સમયે પણ આપણું માથું નીચેની તરફ ઝુકેલું હોય છે. નીચે વળીને નમન કરવું તે આપણી પ્રકૃતિ છે). ગણેશને એક જ દંત છે જેનો અર્થ થાય છે એક કેન્દ્રિય ધ્યાન.

આપણે ઘણી વાર વાર્તા સાંભળી છે કે જ્યારે ગણેશ તેના માતાપિતાને 'સાષ્ટાંગ દંડવત પ્રણામ' કરવા માટે પ્રયત્ન કરે છે ત્યારે ચંદ્ર હસે છે. અહીં ચંદ્ર મનને દર્શાવે છે - મન શાણપણ પર હસતું હોય છે.

ગણેશ મોટેભાગે કમળ પર બેસેલા જોવામાં આવે છે - કમળ પર આધાર રાખતો એક હાથી એ  કેટલું વિચિત્ર છે! આ દર્શાવે છે કે તે અત્યંત સંવેદનશીલ છે. ગણેશ હંમેશા ઉંદર પર સવાર જોવા મળે છે. મુસાફરીનું આ સૌથી અનપેક્ષિત સાધન છે, કલ્પના કરો - ઉંદર પર હાથી! આનું ઊંડું રહસ્ય છે, ઉંદર ધીમેધીમે આપણને બાંધતા દોરડા ને કાપે છે. ઉંદર જે વસ્તુઓને ધીમે ધીમે કાપે છે તે મંત્ર જેવું છે જે અજ્ઞાન ના થર ના થર કાપી શકે છે અને હાથી ને પણ ઉંચકી શકે છે. કાળા ડીબાંગ અંધકાર ને દૂર કરવા માત્ર એક કિરણ નું અજવાળું  જરૂરી છે; તે જ રીતે આપણી અજ્ઞાનતાથી મુક્ત થવા બહુ બધી વસ્તુઓ જરૂરી નથી - માત્ર એક નાની નિરંતર જાગૃતિ પૂરતી છે. ગણેશના શસ્ત્રો પણ પ્રતિકાત્મક છે - તે પોતાના હાથમાં 'અંકુશ' (એક નાની લાકડી જેના વડે હાથીને જગવવામાં આવે છે; એટલે જેનો અર્થ છે ‘જાગૃતિ) અને 'પાશ’ (દોરડાનો ફાંસો જે નિયંત્રણ સૂચવે છે) રાખે છે. જાગૃતિ સાથે ખૂબ ઊર્જા પ્રકાશિત થાય છે કે જે યોગ્ય માર્ગદર્શન વિના ઘણું નુકશાન કરી શકે છે.

ગણેશ રહસ્ય

આ દુનિયાનું અંતિમ સત્ય એ છે કે તે માત્ર અણુઓનો સંગ્રહ છે - તે સિવાય બીજું કશું નથી. તેને 'ગણ' (સામૂહિક સર્વનામ) કહેવામાં આવે છે. આપણું શરીર 'ગણ' છે - તે માંસ, રક્ત અને અસ્થિ મજ્જાનું બનેલું છે. આ બધા ગણના ભગવાન તે 'ગણેશ' છે.

ગણેશ અચિંત્ય, અવ્યક્ત, અને અનંત છે. તે વિચાર કે બાહ્ય અભિવ્યક્તિ ની પરે છે અને શાશ્વત છે. તેમના જેટલું સુંદર બીજું કોઈ નથી અને તે સર્વવ્યાપી છે.

હવે પ્રશ્ન ઊભો થાય છે કે શા માટે આ એક ચેતના અને એક સર્વોચ્ચ સત્તા ને હાથીના રૂપમાં દર્શાવવામાં આવી છે? હાથીના કેટલાક વિશિષ્ટ ગુણો છે - તે નિર્ભીક છે અને તેની ચાલ ઉત્તુંગ છે. તે તેના માર્ગ માં આવતા કોઈપણ અવરોધનો નાશ કરે છે. હાથી એ સત્તા, સહનશીલતા, શક્તિ અને હિંમતનું પણ પ્રતીક છે. આપણે આ બધા ગુણોને આપણી ચેતનામાં જગાવી શકીએ છીએ.

હાથીની લાંબી સૂંઢ એ જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ વચ્ચેના સંતુલનનું પ્રતિક છે. ગણેશને માત્ર એક દાંત છે જે 'એક અદ્વૈત ચેતના' નું પ્રતિક છે.

આપણને ઘણી વાર પ્રશ્ન થાય છે કે શા માટે આટલા મોટા ગણેશ નાના ઉંદર પર બેસે છે? આનું કારણ એ છે કે ઉંદર તર્ક અને આત્મજ્ઞાનનું પ્રતિક છે અને તેના પર 'સર્વોત્તમ જ્ઞાન' ના પ્રતીકરુપ ગણેશ બીરાજે છે.

ગણેશના હાથમાં લાડવો (મોદક) એ પરમ આનંદ ની પ્રાપ્તિ દર્શાવે છે. તેમનો એક હાથ તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. તેમના એક હાથમાં પાશ (દોરડું) છે જે પોતાની જાતને શિસ્તમાં બાંધવાનું પ્રતિક છે. તો બીજા હાથમાં અંકુશ (ભાલો) છે, જે સ્વ-નિયંત્રણ દર્શાવે છે.

ગણેશના મોટા પેટની આસપાસ સર્પ બાંધેલો છે. આ જાગૃત સ્વીકૃતિ માટે દર્શાવાય છે. આપણે દૂર્વા ઘાસના રૂપમાં ગણેશને આપણા દુઃખ અને તકલીફ સમર્પિત કરીએ છીએ.

આપણે ગણેશના જન્મની વાર્તા સાંભળી છે. પાર્વતીના શરીરમાંથી નીકળેલ મેલમાંથી ગણેશનો જન્મ થયો. પાર્વતી ઉજવણી અથવા ઉત્સવમાંથી પ્રકટતી ઉચ્ચ ઊર્જા છે, અને આ ઉચ્ચ ઊર્જામાં હંમેશા નકારાત્મકતાના કેટલાક પાસા હોય છે - તેને આ મેલના પ્રતિક દ્વારા દર્શાવેલી છે. જ્યારે આ મેલ ના શરીરને શિવ તત્વ નો સંપર્ક થયો ત્યારે તેનું માથું, જે અહંકારનું પ્રતિક છે, ખરી પડ્યું અને ત્યારબાદ તેના પર હાથીનું માથું મૂકવામાં આવ્યું. ગણેશને સ્વયં ભગવાન શિવ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યો હતો કે કોઈ પણ પ્રસંગ અથવા પૂજાની શરૂઆતમાં તેમની (ગણેશની) પૂજા કરવામાં આવશે.

Tuesday, 8 August 2017

ગુરુવચન

જ્યારે તમે જીવનને પવિત્ર ગણો છો, ત્યારે પ્રકૃતિ તમારી સેવામાં તત્પર રહે છે.

Sunday, 6 August 2017

રક્ષા બંધન

આ પૂર્ણિમા ઋષિઓ ને સમર્પિત છે. તેને રક્ષાબંધન પણ કહેવાય છે. એક એવું બંધન, જે તમને રક્ષણ આપે છે - તમારું જ્ઞાન સાથેનું, ગુરુ સાથેનું, સત્ય સાથેનું, અને સ્વ સાથેનું બંધન જે તમારી રક્ષા કરે છે. તમને બાંધેલું દોરડું કાં તો તમારું રક્ષણ કરે છે કાં તો તમને ગુંગળાવીને મારી નાખે છે. નાનું મન અને દુન્યવી વસ્તુઓ તમને ગુંગળાવે છે. વિરાટ મન અથવા જ્ઞાન તમને બચાવે છે. રક્ષા બંધન તે એવું બંધન છે જે તમને બચાવે છે.

તમે સત્સંગ સાથે બંધનથી બંધાયેલા છો - તમારા ગુરુ સાથે બંધન, સત્‌ સાથે, ૠષિઓના પ્રાચીન જ્ઞાન સાથેનું બંધન તમને તારે છે.

બંધન તમને બાંધે છે અને બંધન જીવનમાં આવશ્યક છે. આ દૈવી બંધન તમને જીવનના નાના બંધનોથી મુક્ત કરશે!

Saturday, 5 August 2017

ગુરુજી સાથે પ્રશ્નોત્તરી

પ્રશ્ન: ત્યાગ અને સંન્યાસ વચ્ચે શું તફાવત છે?
શ્રી શ્રી રવિ શંકર:
ત્યાગ એટલે છોડી દેવું, અને સંન્યાસનો અર્થ છે સ્થિતપ્રજ્ઞ અને વિરાગી. ન્યાસ એટલે કેન્દ્ર, વ્યાસ એટલે પરિધિ અને સંન્યાસ એટલે બધો વખત કેન્દ્રિત રહેવું.

પ્ર: અવકાશ અને સમય વચ્ચે શું તફાવત છે?
શ્રી શ્રી રવિ શંકર:
અવકાશ એટલે બે પદાર્થો વચ્ચેનું અંતર અને સમય એટલે બે ઘટનાઓ વચ્ચેનું અંતર, અને તે બંને બદલાતા રહે છે. ત્રણ પ્રકારના અવકાશ છે - , ચિત્તાકાશ, ચિદાકાશ અને ભૂતાકાશ.

ભૂતાકાશ બાહ્ય અવકાશ છે, ચેતનાનું અવકાશ છે, અને તે બદલાય છે. ચિત્તાકાશ પણ બદલાય છે, પણ ચિદાકાશ ક્યારેય બદલાતું નથી. ઘણા સિદ્ધાંતો છે પરંતુ આપણે ધણું ઓછું  જાણીએ છીએ. એ જાણો કે આપણે સમય બદલી શકીએ છીએ. સમયની સાથે તમે બદલાઓ અને તમે સમય બદલો, પરંતુ તમને સમય તમને બદલે તેની રાહ ન જુઓ.

Wednesday, 2 August 2017

ગુરુવચન

તમારા સદગુરુની હાજરીમાં જ્ઞાનનું વર્ધન થાય છે; દુ:ખ નું શમન થાય છે; કોઈ પણ કારણ વગર આનંદ ઉદ્ભવે છે; અભાવ ઘટે છે, સમૃદ્ધિ વધે છે અને તમામ પ્રતિભાઓ પ્રગટ થાય છે.

Tuesday, 1 August 2017

શ્રદ્ધા કેવી રીતે કેળવી શકાય?


૨૪ જુલાઇ, ૨૦૧૭, બૂન આશ્રમ, અમેરિકા

શ્રદ્ધા કેળવી શકાતી નથી, તે ફક્ત હોય છે!

તમે તમારી ગાડી પાર્કીંગ માં મૂકો છો ત્યારે તમને વિશ્વાસ છે કે જ્યારે તમે પાછા આવશો ત્યારે ગાડી ત્યાં જ હશે.

તમે એટલાન્ટા, કેલીફોર્નિઆ કે પછી અન્ય સ્થળેથી અહીં આવ્યા હશો, પરંતુ તમને વિશ્વાસ છે કે જ્યારે તમે પાછા જશો, ત્યારે તમારું ઘર અકબંધ રહેશે. તમને વિશ્વાસ છે કે તમારી નોકરી સુરક્ષિત છે અથવા તમારો વ્યવસાય સુરક્ષિત છે. આ શ્રદ્ધા છે. શ્રદ્ધા તે કંઈક સહજ છે.

શ્રદ્ધા ના 3 પ્રકારો

ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે:
૧. પોતાની જાત પર શ્રદ્ધા (આત્મશ્રદ્ધા),
૨. તમારા આસપાસના લોકોની ભલાઇ અને સમાજના કાયદામાં શ્રદ્ધા,
૩. એમાં શ્રદ્ધા જે અદ્રશ્ય છે, જે અમૂર્ત છે અને જે કારણ અને તર્કથી પરે છે

દરેક વ્યક્તિએ એવી કંઇક ઝાંખી અનુભવી છે જે તર્કની પરે છે, અને જેને બુદ્ધિ વડે સમજી શકાતી નથી. ભલે કોઇ ગમે તેટલી ના પાડે, પણ દરેક વ્યક્તિએ ક્યારેક તો એવો એક અનુભવ કરેલો છે જે આ બધી મર્યાદાની પરે છે. આ અદ્રશ્યમાં વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા છે.

આ ત્રણ પ્રકારની શ્રદ્ધા અથવા વિશ્વાસ હોવા જરૂરી છે, અને સામાન્ય રીતે તે દરેકમાં હોય છે. જો તમે સ્વસ્થ વ્યક્તિ હો, તો તે હોવા જોઈએ. જો તમને કેટલીક મનોવૈજ્ઞાનિક બીમારી કે વહેમ હોય, તો પછી તમારામાં આત્મશ્રદ્ધા નથી હોતી.

આત્મશ્રદ્ધા નો અભાવ અન્ય પ્રત્યે અશ્રદ્ધા રાખવા પ્રેરે છે

એક વખત એક દંપતી મને મળવા આવ્યા. તેઓ આશ્રમથી માત્ર ૧૦ મિનિટ દૂર રહેતા હતા, પરંતુ મને મળવા આવતા તેમને ૫ કલાક લાગ્યા. મેં કહ્યું, "આવું કેવી રીતે થયું?" પત્નીએ કહ્યું કે જે ક્ષણે તેના પતિ ઘરમાંથી નીકળીને થોડાક પગથિયાં ચાલ્યા, તેને લાગ્યું કે બારણે તાળું મરાયેલું નથી. તેથી, તે પાછા ગયા અને બારણું ચકાસ્યું. તેણે ખાતરી કરવા માટે તાળું બે ચાર વાર ખૅંચી જોયું અને બારણું પણ બે ચાર વખત ખેંચ્યું. ફરીથી, થોડા પગલાં ચાલ્યા અને તે જ શંકા આવી એટલે તે દરવાજે તાળું બરાબર મારેલું છે તે ચકાસવા માટે પાછા ગયા. આ વ્યક્તિને ભ્રમ હતો; તેમને પોતાની જાત પર શ્રદ્ધા ન હતી. આ મનોવૈજ્ઞાનિક બીમારી છે.

સમાજમાં, તમને એવા ઘણા લોકો મળશે જે આત્મવિશ્વાસ ના અભાવથી પીડતા હોય છે, પરંતુ તેમનું નિદાન થયુ હોતુ નથી. આત્મ-વિશ્વાસનો અભાવ અન્ય પ્રત્યે અવિશ્વાસની લાગણી તરફ દોરી જાય છે - તમને હંમેશાં એવું લાગે છે કે બીજા બધા તમારા દુશ્મન છે, અથવા દરેક વ્યક્તિ તમારી પર ગુસ્સે થાય છે, અથવા બધા તમને મારવાનો પ્રયાસ કરે છે. તમે આવી રીતે જીવી શકો? અશક્ય.

તમે બહાર તમારી કાર પાર્ક કરીને અંદર આવો, પછી તમે એવું વિચારવાનું ચાલુ ન રાખી શકો કે જ્યારે હું પાછો જાઉં ત્યારે મારી કાર ત્યાં હશે કે નહીં? તમે લેબનોન અથવા અફઘાનિસ્તાનમાં રહેતા હો તો જુદી વાત છે, જ્યાં આવા બનાવો બની શકે છે, ત્યાં આ ભય વાજબી છે! (શ્રોતાઓમાં હાસ્ય)

સમગ્ર બ્રહ્માંડમાં એક સર્વજ્ઞ શક્તિ છે

આપણે અહીં ફક્ત ૬૦-૭૦ વર્ષ માટે છીએ, અને આપણને એમ લાગે છે કે આપણે સમગ્ર વિશ્વના નિયંત્રણમાં છીએ. આ કેવડો મોટો ભ્રમ છે! આ પૃથ્વીનું લાખો વર્ષોથી અસ્તિત્વ છે. આ પૃથ્વી પોતે ઓગણીસ અબજ વર્ષ થી ટકી રહી છે, અને આપણે માનીએ છીએ કે આપણે આ સમગ્ર વિશ્વનું સંચાલન કરી રહ્યા છીએ.

આના કરતાં મોટો બીજો કોઇ ભ્રમ ન હોઈ શકે. એક શક્તિ છે જે આ ગ્રહની કાળજી લે છે અને તે આ પૃથ્વીની કાળજી આવનારા લાંબા કાળ સુધી લેશે. અને વિશ્વમાં માત્ર એક જ ગ્રહ નથી પરંતુ આવા અબજો ગ્રહ છે, અને ઘણા બધા જીવન છે.

આપણને લાગે છે કે આપણે ખોરાક પૂરો પાડીએ છીએ અને આપણે જીવનની બધી જરુરીયાત પૂરી પાડી રહ્યાં છીએ. પરંતુ જો આપણે દરિયાના પાણીની અંદર ઉંડે ડૂબકી લગાવીને જોઇએ તો  - ત્યાં સમગ્ર વિશ્વ છે અને ત્યાં બધા જીવોની કાળજી લેવાઇ રહી છે. દરેક પ્રાણી ને ખાવા માટે કંઈક પૂરું પાડવામાં આવી રહ્યું છે.

મને ૧૨ મી સદીના સંતની વાત યાદ આવે છે - “અજગર કરે ના ચાકરી, પંછી કરે ન કામ, દાસ મૌલક કેહ ગયે, સબકે દાતા રામ”.

તે કહે છે, એક અજગર કોઈ પણ માલિકની સેવા કરતો નથી, અને પક્ષી કંઈ નોકરી શોધતા નથી, પરંતુ ભગવાન દ્વારા દરેકને માટે ખોરાક પૂરો પાડવામાં આવે છે. તો તમે શા માટે ચિંતા કરો છો!

અજગર ખૂબ આળસુ છે અને ખૂબ જ ધીરે ધીરે ચાલે છે; તે ફક્ત બધો સમય પડી રહે છે. પરંતુ, પક્ષીઓ ખૂબ જ વ્યસ્ત જીવો છે, તે હંમેશા આમતેમ ઉડતા હોય છે. છતાં બંને નું સમાન રીતે ધ્યાન રાખવામાં આવે છે; ઇશ્વર દરેકના ક્ષેમકુશળનું ધ્યાન આપે છે.

આ લોકોમાં આત્મવિશ્વાસ જ્ગાવવા માટે કહેવામાં આવ્યું છે - તમે ધીમે ધીમે ચાલો કે ઝડપથી આગળ વધો, તમારી સંભાળ લેવામાં આવશે. તમે ખૂબ જ વ્યસ્ત હો કે ગોકળગાયની ગતિથી આગળ વધતા હો, બ્રહ્માંડ ની ચેતનામાં કરુણા છે, અને ઇશ્વર દરેકને માટે પૂરું પાડે છે.

હવે, જ્યારે તમને આ ખ્યાલ આવે છે અને અંદરથી જાગૃત થાઓ છે, ત્યારે શ્રદ્ધા તેની આડપેદાશ તરીકે આવે છે. શ્રદ્ધા આપણી અંદર જ હોય છે, પરંતુ આ જાગરૂકતા સાથે તે પ્રકટ થાય છે.