Monday, 27 May 2013

જ્યોતિષ – જ્ઞાન ની આંખો


૨૭
૨૦૧૩
મે
બેંગલોર, ભારત

પ્રઃ પ્રિય ગુરૂદેવ, જ્યોતિષ પ્રમાણે હું રાહુ-શનિ ગ્રહોની યુતી ના પ્રભાવ માં છું. આ મને હતાશ, ગુસ્સે, અને મોટા ભાગના વખતે તામસી કરે છે. હું આધ્યાત્મિક માર્ગ થી દૂર જવું અને મારી આજુબાજુના લોકો માટે મુશ્કેલી બનાવું છું. મદદ કરો.

શ્રી શ્રી: ઓછામાં ઓછું તમને આ જ્ઞાન છે. જો તમે આટ્લુ સમજ્યા છો તો, પછી તમને આ ખબર છે કે બધા નકારાત્મક ભાવનાઓ માત્ર એક પસાર થતો તબક્કો છે. તમે જાણો છો કે આ કેટલાક ગ્રહોની યુતી ના કારણે છે. આ રીતે જ્યોતિષવિદ્યા એક મોટી રીતે તમારી સહાયતા માટે આવે છે. કે ધારો કે તમને ખબર ન હોય કે આ ગ્રહોની સંયોજનો ના કારણે છે, તો તમને શું થશે? તમે સમગ્ર વિશ્વને નકારાત્મક તરીકે બ્રાન્ડ કર. તમે પોતાને નકારાત્મક સમજી અને તમે કાયમ હતાશા લાગ્યા કર, છે કે નથી?

માટે જ્યોતિષ (જ્યોતિષવિદ્યા) શાણપણ/ડાહપણ/જ્ઞાન ના ચક્ષુ (આંખ) તરીકે ઓળખાય છે. તે તમને તમારી તાત્કાલિક પરિસ્થિતિ થી બહાર જુઆ મા મદત કરે છે, અને જાણ કરવે છે કે તે થોડા સમય માટે જ છે, અને તે બદલવા ની છે. તમે આ માંથી કેટલીક અજ્ઞાત આંતરિક શક્તિ મેળવો છો. અને તમે તમારી જાતને અથવા તમારા આસપાસ ના લોકોને દોષ નહિં પો.
ગ્રહો ને દોષ આપવો હંમેશા સારુ છે કારણ કે તેઓ બહૂં દૂર છે. તમે તેમના વિશે કશું ન કરી શકો. તેઓ તેમના પોતાના ગતિ પર ચાલે છે, તમે તેમની ચળવળ ઉતાવળ નથી કરી શકતા.
જ્યારે કંઇ ખોટું થા, ત્યારે કુદરતી વલણ જાતને દોષ, અથવા કોઇ અન્ય ને દોષ આપવાનો હોય છે. બન્ને સ્થિતિ મા તમને નુકશાન છે. પરંતુ જ્યારે તમે ગ્રહો પર દોષ મૂકો છો, તમે બિજાને, અને પોતાને દોષ આપવાથી મુક્ત થાવ છો. તેથી એક ચોક્કસ અંશ સમજણ તમારા જીવન માં આવે છે. આ એક ફાયદો છે

તમને ખબર હોવી જોઇએ કે આ માટે એક ઉપાય હંમેશા છે. તે શું છે? દૈવી સ્તુતી (ધ ડિવાઈન અડોરિન્ગ). તમામ ગ્રહો ના ઉપર ભગવાન શિવ અથવા શિવ તત્વ છે. તેથી, ઓમ નમ: શિવાય ના જાપ દ્વારા, તમે આ બધા માથી પાર થશો.

હું કહું છુ, કોઈપણ વિપરિત પરિસ્થિતિ માં હંમેશા એક લાભ છે, વધુ અંતર્મુખી થવાનો અને વધુ આધ્યાત્મિક બનવાનો. અનુકૂળ પરિસ્થિતિમાં તમારુ ધ્યાન બહિર્મુખી છે, તેથી ઓછામાં ઓછા વિપરિત પરિસ્થિતિઓમાં તમે તમારા ધ્યાનમાં અંતર્મુખી થઇ, અને પ્રાર્થના અને ધ્યાન માટે આ સમય નો ઉપયોગ કરી શકો છો.

આ બધા, રાહુ ભક્તી, શનિ ભક્તી, કેતુ ભક્તી, વગેરે, બધા આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ જ સારા છે. શનિ નો મુખ્ય હેતુ (હિન્દૂ જ્યોતિષવિદ્યા માં નવ કોસ્મિક અસર કરનાર મા એક) તમને વધુ આધ્યાત્મિક બનાવવા માટે છે. અને તે કેવી રીતે કરે છે? તમે બાહ્ય પર શ્ર્લેષી છો, ત્યારે તે તમને અંદર લાવવા માટે સમસ્યા લાવે છે.


જો તમે પહેલાથી જ અંતર્મુખી હો તો, તેને કરવા માટે ખૂબ કંઈ નથી. તેમનું કામ થઇ ગયુ છે, જેથી સમસ્યા પણ રહેશે નહીં. સમસ્યાઓ હશે તો પણ ન્યુનત્તમ હશે, તેઓ માત્ર આવે છે, અને જાય છે. તેથી, દરેક પરિસ્થિતિ નો એક લાભ માટે ઉપયોગ કરી શકાય છે.

Sunday, 26 May 2013

શ્રધ્ધાનો પર્વત


૨૬
૨૦૧૩
મે
બેંગલોર, ભારત

આજે આપણી પાસે ખૂબજ ઉપયોગી માહિતી છે. દૂધમાં બે પ્રકારના પ્રોટીન હોય છે - A1 બીટા કેસીન અને A2 બીટા કેસીન. જર્સી ગાયો (જે મૂળ ભારતની નથી) ના દૂધમાં A1 બીટા કેસીન હોય છે જ્યારે દેશી ગાયના દૂધમાં A2 બીટા કેસીન હોય છે.

A1 પ્રકારના પ્રોટીનથી ઓટીઝમ (બાળકોમાં જોવા મળતી એક પ્રકારની મનસિક વિકૃતિ), સ્કિઝોફેનિઆ (વિચાર, આચાર અને ભાવનાને જોડી ન શકનારી માનસિક બિમારી), પેટમાં ચાંદા, કોલાઈટિસ અને ક્રોહનનો રોગ વગેરે થાય છે. આના ઉપર ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે. તેમાં જણાવ્યુ છે કે લોકો A1 પ્રોટીન યુક્ત દૂધ પીને માંદા પડે છે.

તેથી A2 પ્રોટીન યુક્ત દૂધનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યુ છે. આ પ્રકારનું પ્રોટીન બકરીના, ઘેંટાના, માતાના તેમજ દેશી ગાયોમાં જોવા મળે છે. શિશુઓ ને માતાનું જ દૂધ આપવું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલ્પ માત્રામાં દૂધ આપતી હોવા છતા, આપણે દેશી ગાયોના દૂધનો જ ઉપયોગ કરવો જોઈએ. વિદેશી ગાયો વધુ દૂધ આપતી હોવા છતાં તે દેશી ગાયોના દૂધનો જ ઉપયોગ કરવો જોઈએ. વિદેશી ગાયો વધુ દૂધ આપતી હોવા છતાં તે આરોગ્ય માટે લાભદાયી નથી.

પ્રશ્નઃ  ગુરુદેવ, ઘણી વખત મારી નિષ્ઠા ડગમગે છે, અને હું તમારા ઉપર પણ શંકા કરુ છું. પછી મને દુઃખ અને વેદના થાય છે. આવા સમયે મારે શું કરવું જોઈએ?

શ્રી શ્રીઃ  સાંભળો, શ્રધ્ધા પર્વત જેવી છે, અને શંકા વાદળો જેવા. ક્યારેય કોઈ વાદળ પર્વતને ડગાવી શકે ખરા? આ અશક્ય છે. ક્યારેક વાદળો પર્વતને આવરી લે અને તમે પર્વત ન જોઈ શકો એમ બની શકે, પરંતુ પસાર થતા વાદળા દ્વારા પર્વત કયારેય ડગી શકે નહિ. વાદળ માત્ર થોડા સમય માટે તેને ધુંધળું બનાવશે. ચિંતા કરશો નહિ.

પ્રશ્નઃ  ગુરુદેવ, એવું કહેવાય છે કે મુક્તિ (આત્મજ્ઞાન) પ્રાપ્ત કરવા માટે દરેક મનુષ્યે એક વાર ભારતમાં જન્મ લેવો પડે, આમ શા માટે છે?

શ્રી શ્રીઃ  ના, આનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આખું જગત તમારું છે, આધ્યાત્મિકતામાં કોઈ પ્રકારની સરહદ નથી. 'સ્ક્રુનવંથો વિશ્વમ આર્યમ્', ચાલો સમગ્ર વિશ્વને એક ઉમદા અને આદર્શ સમાજ બનાવીએ.

પ્રશ્નઃ  ગુરુદેવ, મારા માતા-પિતા જ્યોતિષવિદ્યાને ખૂબ અનુસરે છે, અને મને પણ તે અનુસરવા દબાણ કરે છે. મારે તે અનુસરવું જોઈએ કે સુદર્શન ક્રિયા નકારાત્મકતામાંથી છુટકારો મેળવવા માટે પૂરતી છે?

શ્રી શ્રીઃ  હા, સુદર્શન ક્રિયા પૂરતી છે. જ્યોતિષવિદ્યા એ વિજ્ઞાન છે, વિશ્વને એક પ્રાચીન ભેટ છે, પરંતુ માત્ર તેનેજ માનવું તે અજ્ઞાનતા છે, અને તેને સંપૂર્ણ પણે અવગણવું તે પણ અજ્ઞાનતા છે. તેનું જ્ઞાન હોવુ સારુ છે પરંતુ 'ૐ નમઃ શિવાય' એ દરેક જ્યોતિષીય સમસ્યા માટે શ્રેષ્ઠ ઉપાય છે.

પ્રશ્નઃ  યેસ કોર્સ કર્યા પછી, મેં માંસાહારી ખાવાનું છોડી દીધુ, પરંતુ મારા માતા-પિતા અને અન્ય લોકો મને માંસાહારી ખાવા દબાણ કરે છે, મારે શું કરવું જોઈએ? મારે એમ નથી કરવું.

શ્રી શ્રીઃ  હા, તમે જે ન કરવા માંગતા હોવ તેને પકડી રાખો. આ બાબતમાં તમારા માતા-પિતાનું સાંભળશો નહિ. અન્ય વસ્તુઓમાં તેમનું કહ્યુ માનજો.

પ્રશ્નઃ  ગુરુદેવ, કેટલાક રેપીડ ફાયર પ્રશ્નો થઈ જાય?

આર્ટ એક્સલ?
શ્રી શ્રીઃ  ઉત્તમ આર્ટ (કલા)

માસ્ટર (ગુરુ)?
શ્રી શ્રીઃ  અનિવાર્ય

સુદર્શન ક્રિયા?
શ્રી શ્રીઃ  માનવજાતિને એક ભેટ

આર્ટ ઓફ લિવિંગના શિક્ષક?
શ્રી શ્રીઃ  (ઉત્તમ) ચરિત્રનું ઉદાહરણ

દિલ તૂટવું
શ્રી શ્રીઃ  અહીં તે થતુ નથી.

દેશભક્તિ?
શ્રી શ્રીઃ  આ સમયે અત્યંત જરૂરી છે.

વ્યાપક દૃષ્ટિ?
શ્રી શ્રીઃ  શિક્ષણે તમને આપવી જોઇએ.

ધુમ્રપાન?
શ્રી શ્રીઃ  એવી બિમારી જે જીવન સળગાવી દેશે.

ઓજસ્વીટા?
શ્રી શ્રીઃ  તે પીવો!

ક્રિકેટ?
શ્રી શ્રીઃ  આજે મોટી મુશ્કેલીમાં છે.

માતા-પિતા?
શ્રી શ્રીઃ  તેમને માન આપો.

સેવા?
શ્રી શ્રીઃ  તેને તમારા જીવનનો એક ભાગ બનાવી દો.

સ્મિત?
શ્રી શ્રીઃ  કરતા રહો અને બધાને કરાવતા રહો.

ટીનેજર? (૧૩ થી ૧૯ વર્ષની વ્યક્તિ)
શ્રી શ્રીઃ  માતા-પિતા માટે પડકાર અને પોતાના માટે સમસ્યા. પરંતુ તે દૂર થઈ જશે.

સફળતા
શ્રી શ્રીઃ  દુનિયા તેની પાછળ દોડે છે, પણ તે આપણી પાછળ દોડે છે!

ગુસ્સો
શ્રી શ્રીઃ  કાર્ય ઝડપી બનાવવા તેનો સાધન તરીકે ઉપયોગ થવો જોઈએ.

ખરાબ ડ્રાઈવીંગ
શ્રી શ્રીઃ  કમનસીબી

ધ્યેય
શ્રી શ્રીઃ  નક્કી કરો અને પછી તેને બદલો. ધ્યેય નક્કી કરશો તો પછી તમને સમજાશે કે તે ધ્યેય ખૂબ નાનો છે, પછી તમે મોટો ધ્યેય નક્કી કરશો.

આસ્થા
શ્રી શ્રીઃ  નસીબદાર માણસો પાસે હોય છે.

મિત્રો
શ્રી શ્રીઃ  તે તમારી ખામીઓ તરફ તમારુ ધ્યાન ખેંચે છે.

પરીક્ષા
શ્રી શ્રીઃ  સારી રીતે પરંતુ હળવા મનથી આપો!

ટીમ વર્ક (સંયોજિત કાર્ય)
શ્રી શ્રીઃ  ઝડપી પ્રગતિ અને ઉત્પાદકતા માટે જરૂરી છે.

રમતો
શ્રી શ્રીઃ  રમવી જોઈએ ક્યારેક જીતવુ અને ક્યારેક બીજાને જીતવા દેવા.

શ્રી શ્રી?
શ્રી શ્રીઃ  હંમેશા તમારી સાથે અને તમારા માટે હાજર છે.

ગુરૂદેવ, તમારુ મનપસંદ પુસ્તક કયું છે?
શ્રી શ્રી: હું સામાન્ય રીતે પુસ્તકો નથી વાંચતો. માણસનું મન મારુ પ્રિય પુસ્તક છે, અથવા બ્રહ્માંડ.

ગુરૂદેવ, તમારા મનપસંદ શિક્ષક કોણ છે?
શ્રી શ્રી: દરેક બાળક!

ગુરૂદેવ, તમારુ મનપસંદ ગીત કયું છે?
શ્રી શ્રી: વંદે માતરમ્‌

ગુરૂદેવ, તમારુ મનપસંદ ફૂલ કયું છે?
શ્રી શ્રી: દરેક ફૂલ જે ખીલે છે!

ગુરૂદેવ, તમારો મનપસંદ દેશ કયો છે?
શ્રી શ્રી: વિશ્વના જે દેશમાં હું હોઈશ તે દેશ મારો પ્રિય દેશ, એટલે જ હું ત્યાં હોઈશ.

Saturday, 25 May 2013

પ્રશ્નો અને જવાબો

પ્ર: પ્રિય ગુરૂદેવ, અમને ઇચ્છાઓ ત્યાગવાનું કહેવામાં આવે છે, પરંતુ બીજી બાજુ, અમને મોક્ષ (જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ) મેળવવા માટે તીવ્ર પ્રયત્ન કરવા એવી સલાહ આપવામાં આવે  છે. શું આ પણ અમારી ઈચ્છા વધી નથી?

શ્રી શ્રી: હા, જીવન માં મોટી વસ્તુઓ માટે તમારી ઇચ્છાઓ વધારવી નાની વસ્તુઓ માટે નહીં. નાની વસ્તુઓ માટેની ઇચ્છાથી સમસ્યા પેદા થાય છે. તમને જો ઇચ્છાઓ જ જરુરી હોય, તો તે, ઊચ્ચકોટી ની  રાખો, સૌથી ઊંચી વસ્તુ માટે રખો, જેમ કે પરમેષ્વરને મેળવવાની. સમગ્ર બ્રહ્માંડને પોતાનું બનાવવા યત્ન કરો, આ બ્રહ્માંડ માં દરેકના સુખ માટે તમારી ઇચ્છા કરો.

ઇચ્છાઓ મોટી હોય ત્યારે તેઓ હાનિકારક નથી હોતી. જ્યારે તમને પરમ સત્ય તરફ જવાની ઇચ્છા થાય, જ્યારે તમે સત્ય માટે પ્રતિબદ્ધ થાવ, ત્યારે મન શાંત અને સ્પષ્ટ બને છે. નાની ઇચ્છાઓ બેચેની વધારે છે, પરંતુ પરમ સત્ય માટેની ઇચ્છા મનને સ્થિર કરે છે. બેચેની જ પીડા લાવે છે.

પ્ર: ગુરૂદેવ, એટલે શું? ૐ કેવી રીતે શોધાયું?

શ્રી શ્રીઃ ૐ સૄષ્ર્ટી ની બનાવટ નો સાર છે, જેમ એક બીજ એક વૃક્ષ ના સાર સમાન છે. બીજમાં, સમગ્ર વૃક્ષ સમાયેલું હોય છે, બરાબર છે? જો તમે કેરીની ગોટલી વાવો અને આંબો ઊગે છે. આમ જ ઘણાં મંત્રો પણ બીજ મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ૐ એ પરમ બીજ મંત્ર છે (પરમ એટલે સર્વોચ્ચ). ૐ પ્રારંભથી, અથવા સમયના ઉદભવ સાથે જ છે.

પ્ર: ગુરૂદેવ, અમે ખૂબ નસીબદાર છીયે કે આજ ના આ યુગ માં અમને એક મહાન આધ્યાત્ક માર્ગર્દર્શ     મળ્યા, પરંતુ અમે ઘણી ખોટી વસ્તુઓ કરી છે, આમ છતાં તમે અમને પસંદ કર્યા એનું શું કારણ છે?

શ્રી શ્રી: જુઓ, જો તમે બીમાર હોય ત્યાર પછી  તો તમે હોસ્પિટલ માં જાઓ ને? ઘણાં લોકો બીમાર હોય છે  છતાં હજુ સુધી તેઓ હોસ્પિટલ જવા માટે નથી માંગતા, તો તમે તેમને શું કહેશો?

તમે ખોટી વસ્તુઓ કરી, વાંધો નહીં, છેવટે  તો સત્સંગમાં આવી ને બેસો છો ને. ખોટી બાબતો કરવા પ્રેરતા તમારા વલણ ઓછા અને ઓછા થતાં જાય છે, અને અંતે અદ્રશ્ય થાશે. આમ જ થઇ રહ્યું છે ને?

પ્ર: અમે નિયમિત સુદર્શન ક્રિયા કરીયે છીયે,  શું તો અમે સંપૂર્ણ થશું?

શ્રી શ્રી: હા, ચોક્કસપણે.પરંતુ તે માત્ર ક્રિયા કરવા માટે પૂરતું નથી. તમારે બધા જ્ઞાનસુત્રો સાંભળવા જોઈએ, તમને સારી સલાહ આપવામાં આવે છે તે પણ ગ્રહણ કરવી જરુરી છે. વ્યવહાર અને સિદ્ધાંતો બંને જીવન માટે જરૂરી છે. 

પ્ર: મૃત્યુ પછી શું રહે?  શું ફક્ત આત્મા જ રહે કે મન પણ રહે?

શ્રી શ્રી: તમારા ભય, ઝંખના અને અણગમો ની છાપ હંમેશા તમારી સાથે જાય છે. એટલા માટે ધ્યાન કરવું જોઈએ છે. આ બધી અનિચ્છનીય છાપ ધ્યાન થી ભૂંસાઇ જાય છે.

પ્ર: શા માટે દરેક વ્યક્તી અલગ છે, બધાં સરખા નથી?

શ્રી શ્રી: શા માટે દરેક વ્યક્તી સમાન હોવા જોઇએ?

અમે તમને નાસ્તો, અને દૈનિક ભોજન માટે તમને માત્ર બટાકાની જ અને એક જ વાનગી પીરસીએ, તો  તમને ગમશે?

શા માટે તમે વિવિધ રંગોના કપડાં પહેરો છે? તમરે જો લશ્કર ના સૈનિકો માફક, દરરોજ એ જ કપડાં પહેરવા પડતા હોય તો તમને તે ગમશે? ના, ખરુંને?  કુદરતને  વિવિધતામાં રુચી છે, એટલે પૃથ્વી પર ઘણા વિવિધ પ્રકાર ના લોકો છે.

પ્ર: ગુરૂદેવ, ચાઇના અને મંગોલિયાનની તમારી યાત્રા વિશે અમને જણાવો?

શ્રી શ્રી: હા, મંગોલિયા ખૂબ જ સારું હતું. લગભગ દસ હજાર લોકો સતસંગ માટે આવ્યા હતા. લોકો ખુબ ખુશ છે. હું જ્યારે છોડી ને પાછો જઇ રહ્યો હતો, ત્યારે એરપોર્ટ પર દરેક વ્યકતી, સુરક્ષા રક્ષકો, જે માણસો એક્સ-રે મશીનો ચલાવતા હતા, તેઓ બધા વારાફથી આશીર્વાદ લેવા માટે આવ્યાં. મંગોલિયા માં લોકો ખૂબ જ પ્રેરીત થયા છે.

ચાઇના માં, તેઓ ભીડ થી અને અમારા લોકોના ઉત્સાહથી ચોંકી ગયા. ઘણા લોકો સત્સંગ માટે આવવા  માગતા હતાં.

ચાઇના માં, તમે મોટી વ્યાખ્યાનમાળા માટે ખાસ પરવાનગીની જરૂર પડે છે. માત્ર ૫૦ લોકો વ્યાખ્યાનમાળા માટે ભેગા થઇ શકે, અને ૫૦૦ લોકો મોટા કાર્યક્રમો માટે. (અમારા કાર્યક્રમો માં હજારો  લોકો આવે છે,  આમ તે મર્યાદા થી બહાર જાય છે. તેઓ જણાવ્યું તેઓ તેને નિયંત્રિત નહીં કરી શકે અને મોટી સંખ્યા માટે વિનંતી રદ કરી.)

ચાઇના માં, શિસ્ત થી કાર્યવાહી કરવામાં આવે છે. આપણે તેમની પાસેથી શીખવું જોઇએ. આ લોકો ને તેમના દેશ માટે પુર્ણ પ્રતિબદ્ધતા છે. તેમની ગુપ્તચર સેવાઓ ઘણી શક્તિશાળી છે. ત્યાં વિદેશીઓ ફક્ત અમુક હોટલોમાં રહી શકે છે, અને આ હોટેલો માં વેઇટર અને  વેઇર્ટેસ ગુપ્ત જિજ્ઞાસુ એજન્સીઓ ના ગુપ્તચરો છે.

તેઓ બધાંને વિશે બધું જાણીકે તેવી રીતે બધાં પર દેખરેખ રાખવા માં આવે છે. આપણા દેશમાં ગુપ્તચર સેવા એજન્સીઓ આ વિશે તેમની પાસેથી જાણવું જોઈએ, તો પછી આ દેશમાં આતંકવાદ નહીં રહેશે.


તેઓની ગુપ્તચર સેવા એજન્સીઓ એવી કુશળ છે કે, ક્યાં શું થઈ રહ્યું છે?, કોણ કોને મળવા આવતા હોય છે, તે ખૂબ જ સારી રીતે જાણે છે, અલબત્ત, ક્યારેક લોકોને ગૂંગળાવે તેવું લાગે, કારણ કે ખૂબ  ચુસ્તતા છે, અને મોટાં કાર્યક્રમો કરવા માટે કોઈ સ્વતંત્રતા નથી, પરંતુ તેઓ સારા પ્રતિબદ્ધ છે.