Sunday, 24 September 2017

જ્ઞાનનાં ચાર આધારસ્તંભ - વિવેક

૧૬ ઓગસ્ટ ૨૦૧૬, બેંગ્લુરુ, ભારત

પ્ર: ગુરૂદેવ, જ્ઞાનનાં ચાર સ્તંભ કયા છે? તે કેવી રીતે આંતરિક વિકાસ અને બાહ્ય વિકાસ  માટે ઉપયોગી થઈ શકે છે? તેની પાછળનું રહસ્ય સમજાવો.

શ્રી શ્રી રવિ શંકર: જ્ઞાનનો પહેલો આધાર વિવેક છે. વિવેક નો અર્થ છે ટૂંકા ગાળા અને લાંબા ગાળે વચ્ચેનો ભેદ સમજવાની ક્ષમતા; શું અસ્થાયી છે અને શું કાયમી છે; શું ટકાઉ છે અને શું નાશવંત છે. દરેકે આ ભેદભાવ અથવા ફરક જાણવાની જરૂર છે.  આવા વિવેકનો અભાવ દુઃખનું કારણ બને છે.

ઘણી વાર જ્યારે સ્કૂલ કે કૉલેજમાં બાળકોને અમુક પરીક્ષામાં ખૂબ ઓછા ગુણ મળે છે, ત્યારે તેઓ મકાનના ૧૦ મા કે ૧૫ મા માળેથી કૂદીને આત્મહત્યા કરે છે. આ વિવેકનો અભાવ છે. જીવન ફક્ત પરીક્ષામાં સારા ગુણ મેળવવા પર આધારિત નથી. આપણે નાની અને ક્ષુલ્લક બાબતોથી મુશ્કેલી અનુભવીએ છીએ અને વ્યગ્ર થઇ જઇએ છીએ. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ત્રીને તેની સાસુ સાથે ઝઘડો થાય, તો તે પોતાની માતાના ઘરે જાય છે અને સાથે તેના બાળકોને પણ લઈ જાય છે! પણ જુઓ, ભૂતકાળમાં તેનો પોતાની મા સાથે ઝઘડો નથી થયો? વિવેકનો અર્થ છે કે શાશ્વત શું છે અને અસ્થાયી શું છે તેનો ફરક સમજવો.

આપણે બધાએ રોજિંદા જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોના જીવનમાં આવું નથી બનતું? પરંતુ જો તમે તમારા જીવનની તુલનામાં સમસ્યાઓને બહુ મોટી સમજી લો, તો તે અવિવેક છે (મૂર્ખતા અથવા વિવેકનો અભાવ). જીવન આ સમસ્યાઓ કરતા ઘણું મોટું છે. જ્યારે તમે તમારા જીવન ને આ સંદર્ભમાં જુઓ છો, ત્યારે તમને જીવન બોજરૂપ નહીં લાગે. વિવેક એટલે શાશ્વત અને ક્ષણ-ભંગુર (અસ્થાયી અથવા ક્ષણિક) વચ્ચે નો ભેદ સમજવો, સત્ શું છે અને અસત્ શું છે તેનો ભેદ સમજવો.

આપણું શરીર કાયમી નથી. તે હંમેશા બદલાયા કરે છે. આપણા શરીરનો પ્રત્યેક કોષ દરેક સમય બદલાતો રહે છે. છતાં આપણામાં એવી કોઈ વસ્તુ છે જે ક્યારેય બદલાતી નથી. તમે કોઈ ફેરફારને જોઇ શકો છો કારણ એવું કંઇક છે જેમાં ફેરફાર થતો નથી. તમારામાં રહેલા આ શાશ્વત પાસાને કારણે તમે બહારના ફેરફારોને ઓળખી શકો છો. વિવેક એટલે શું બદલાય છે અને શું નથી બદલાતું તે સમજવું; જીવનમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના શું લાભ છે તે સમજવું.

ઘણી વખત તમને ટૂંકા ગાળા અને લાંબા ગાળાના ફાયદા વચ્ચે ભેળસેળ થઈ જાય છે, અને તમે મોટી આફતમાં આવી જાઓ છો, આવું નથી થતું? જ્યારે તમે સ્થાયી અને અસ્થાયી વચ્ચેનો તફાવત કરી શકતા નથી, ત્યારે તમને જીવનની ક્ષુલ્લક સમસ્યાઓ પણ સહેલાઈથી પજવી શકે છે. પછી તમે તમારા પોતાના માટે સમસ્યાઓ ઊભી કરો છો અને તમારી આસપાસના લોકોને પણ અસ્વસ્થ કરો છો. આ વલણ અવિવેક છે. તેથી વિવેકનું જ્ઞાન હોવું અને વિવક જાગ્રત થવો એ જ્ઞાનનો પ્રથમ આધારસ્તંભ છે.

ક્યારેક આપણને જે દેખાય છે તે ખરેખર હોતું નથી, પરંતુ આપણે જે છે તેના બદલે દેખાવને વળગી રહીએ છીએ, અને આ પણ વિવેકનો અભાવ છે. જે દેખાય છે તે હંમેશા વાસ્તવિક નથી. ઉદાહરણ તરીકે, તમે કોઇને મળવા તેમના ઘરે ગયા છો. ઘરની સ્ત્રીએ દૂધને સ્ટોવ પર ઉકાળવા મૂક્યું છે, અને તમારું આગમન થતા, તે તમને મળવા બારણે આવે છે. જ્યારે તે બારણે આવે છે, ત્યારે તેને તરત જ રસોડામાં ઉકળતું દૂધ યાદ આવે છે અને ઉતાવળમાં દરવાજાને જોરથી બંધ કરીને તે અંદર દોડે છે. તેને દૂધ બળી જશે તેવો ભય હતો પરંતુ તમને લાગ્યું કે "મારું આવું અપમાન! હું તેની મુલાકાત લેવા આવ્યો છું અને તેણે મારા મોઢા પર દરવાજો બંધ કર્યો". હવે, તમને જે લાગ્યું તે સાચું ન હતું. તેણીએ ઇરાદાપૂર્વક આમ કર્યું ન હતું પરંતુ તમને લાગ્યું કે તેણીએ તમને મળવાની ઇચ્છા ન હોવાથી દરવાજો મોઢા પર પછાડીને બંધ કર્યો. આ તમારા મનમાં ગેરસમજ અથવા ભ્રાંતિ છે અને આ અવિવેક છે.

Monday, 4 September 2017

ગુરુજી સાથે પ્રશ્નોત્તરી

પ્રશ્ન: પ્રિય ગુરુદેવ, ક્યારે અને કેવી રીતે આત્મા જન્મવા માટે કોઇ ચોક્કસ શરીર પસંદ કરે છે?

શ્રી શ્રી રવિ શંકર:

એ પાંચ રહસ્યોમાંનું એક રહસ્ય છે જે કોઇને કહી ન શકાય; આને ધ ગ્રેટ સિક્રેટ્સ કહેવામાં આવે છે, જે સમજી શકાય નહીં; મૃત્યુ એમાનું એક છે, જન્મ બીજું રહસ્ય છે.

એક વસ્તુ હું તમને કહી શકું - તમારો છેલ્લો વિચાર તમારા આગામી જન્મનું કારણ બની શકે છે. મૃત્યુ પહેલાં જો તમે મરઘી વિશે વિચારી રહ્યા હો, તો બીજા જન્મમાં તમે મોટેભાગે ઇંડામાંથી બહાર નીકળી એક મરઘાં ઘરમાં જન્મશો. તેવી જ રીતે, જો તમે શ્વાનોને ખૂબ ચાહતા હો, તો ખાતરીપૂર્વક કહી શકાય કે તમે આગામી જીવનકાળમાં એક શ્વાન બનશો. આનું કારણ એ છે કે મનમાં પડેલી સૌથી ઊંડી, પ્રબળ છાપ તમને આગલા જીવનમાં લઈ જાય છે. આ એક કારણને લીધે એક ઉંદર જે હંમેશા બિલાડીથી ભયભીત રહે છે, તે તેના પછીના જીવનમાં એક બિલાડી બની જાય છે. એક કીડો, જે પક્ષીથી ડરતો હોય છે, તે પક્ષી બની જશે. આ રીતે, તમારો ભય અથવા રાગદ્વેષ તમારા આગામી જન્મ માટે કારણભૂત બનશે! હું આથી વધુ કહી શકતો નથી.

Wednesday, 23 August 2017

ગણેશ ઓમ


વૈજ્ઞાનિકો એ શોધ્યું છે કે માનવના એક રંગસૂત્ર (ડી.એન.એ.) ની અંદર પૃથ્વીના બાકીના બધા જ પ્રાણીઓના રંગસૂત્ર મળી આવે છે. તેથી, આપણી અંદર દરેક પ્રાણીના ગુણધર્મો જોવા મળે છે - આ વાત આપણા પૂર્વજોને પ્રાચીન સમયથી ખબર હતી.

હાથીના મુખ્ય ગુણ શાણપણ અને સહજતા છે. હાથી અવરોધની બાજુમાંથી નીકળતો નથી, કે પછી તેમનાથી રોકાતો નથી - તે તો માત્ર અવરોધને દૂર કરીને સીધા જ આગળ વધે છે. ઉદાહરણ તરીકે, જો તેમના માર્ગમાં વૃક્ષો આવે, તો તેઓ તે વૃક્ષોને જડમૂળમાથી ઉખાડીને આગળ વધશે. તેથી, જ્યારે આપણે ભગવાન ગણેશની પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી અંદર રહેલા આ હાથીના ગુણો પ્રકાશિત થાય છે અને આપણામાં તે ગુણો પ્રકટે છે. એનું કારણ એ છે કે આપણે જેના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, તેના ગુણો આપણામાં પ્રક્ટે છે. તેથી જો તમે હાથીનું માથું ધરાવતા ગણેશ પ્રત્યે ધ્યાન ધરશો, તો તમે હાથીના ગુણ મેળવશો. તમે બધા અવરોધોને દૂર કરી શકશો.

પ્રાચીન ઋષીઓ અત્યંત બુધ્ધિશાળી હતા - તેઓ ઇશ્વરને શબ્દોની જગ્યાએ પ્રતિક રૂપે વ્યક્ત કરવાનું પસંદ કરતા, કારણ કે શબ્દો કાળક્રમે બદલાય છે, પરંતુ પ્રતીકો યથાવત રહે છે. દાખલા તરીકે, કોઈ પણ ભાષામાં, ખોપડી અને બે ત્રાંસા હાડકા ભય દર્શાવે છે. તેવી જ રીતે, ગણેશ 'શુભ' (શુકન) અને 'લાભ' (સમૃદ્ધિ) દર્શાવે છે.

હાથીમાં વિશેષ ગુણો છે. તેનું મોટું પ્રભાવી માથું જ્ઞાન અને શાણપણ દર્શાવે છે. તેના સૂપડા જેવા મોટા કાન અને નાની આંખો દર્શાવે છે કે જે દેખાય છે તે અનુસરવાને બદલે તમે જે સાંભળો છો અને સમજો છો તે માનવામાં ડહાપણ છે. તમે જે છો અને જે સાંભળો છો તે સુસંગત હોવું જોઈએ. હાથી તેની સૂંઢને બે કાર્યો માટે વાપરે છે - તે તેના દ્વારા સૂંઘે છે અને તેના દ્વારા કામ કરે છે. તેવી જ રીતે શાણા લોકો પહેલા સૂંઘે છે (તપાસ કરે છે) અને પછી કામ કરે છે. કોઈ વસ્તુની જરા પણ ગંધ આવતા (જેમ કે ધુમાડાની ગંધ!) જ્ઞાની વ્યક્તિ તાત્કાલિક પગલાં લેશે.

તો ગણેશનું શું મહત્વ છે? - શિવ અને પાર્વતી (આ શબ્દ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે) ઘણા ઉત્સાહ સાથે ઉત્સવ ઉજવતા હતા અને પાર્વતીનું શરીર ગંદુ બની ગયું - તે દર્શાવે છે કે ઉજવણી સરળતાથી રાજસિક અથવા અશાંત બની શકે છે અને તમને તમારા કેન્દ્રથી (સ્વથી) દૂર લઇ જાય છે, તેથી તેણીએ તેના શરીરમાંથી બધી ગંદકી દૂર કરી (જે અજ્ઞાનતા નું પ્રતિક છે) દૂર કરી અને એમાંથી એક મૂર્તિ (ગણેશ) બનાવી. તેણે મૂર્તિને પ્રાણ આપ્યા અને કહ્યું કે તે સ્નાન કરે ત્યારે દરવાજાની ચોકી કરવી .જ્યારે શિવ (સંપૂર્ણ નિર્દોષતા, શાંતિ અને જ્ઞાનનું પ્રતિક) કૈલાસામાં પાછા ફર્યા ત્યારે તેમનો પુત્ર તેમને ઓળખી ન શક્યો અને તેમનો માર્ગ રોકીને અંદર પ્રવેશતા અટકાવી દીધા. આ બતાવે છે કે અજ્ઞાન (ધૂળ) ડહાપણ અથવા નિર્દોષતાને ઓળખતું નથી, તેમ છતાં સત્યને અજ્ઞાનતાથી અટકાવી શકાય છે. શિવ ભગવાને દિકરાનું માથું - અજ્ઞાનતાનું પ્રતિક - કાપી નાખ્યું અને અંદર દાખલ થયા. પરંતુ જ્યારે પાર્વતીને ખબર પડી કે તે શું થયું છે ત્યારે તેમણે શિવને સમજાવ્યું કે તે છોકરો તેમનો પુત્ર હતો અને તેને સજીવન કરો. તેથી શિવ ભગવાને તેમના ગણોને આદેશ આપ્યો કે જે પહેલી વ્યક્તિ મળે જેનું માથું ઉત્તર તરફ હોય (ઊર્જાના કુદરતી પ્રવાહ સાથે સંમિલિત હોય) તેનું માથું કાપીને લઇ આવે. તેમણે દૂર દૂર સુધી શોધ કરી અને છેવટે તેમને એક હાથી મળ્યો તેથી તેઓ હાથીનું માથું કાપીને લઇ આવ્યા. શિવે હાથીનું માથું ધડ પર મૂકીને સજીવન કર્યા અને આમ ગણેશ બન્યા.

ગણેશને હંમેશા મોટા પેટ સાથે દર્શાવવામાં આવે છે - તે તેમની ઉદારતા અને સંપૂર્ણ સ્વીકૃતિ નું પ્રતિક છે. એવી વાર્તા છે કે એક દિવસ ગણેશે એટલું બધું દૂધ પીધું કે તેમનું પેટ ફાટી ગયું, તેથી તેમણે નાગને પકડી ને તેમના પેટની આસપાસ બાંધી દીધો. આ દર્શાવે છે કે ઊંડી જાગૃતતા વગર લોકો અને પરિસ્થિતિઓને સ્વીકારવાનું (મોટું પેટ)કોઈ મૂલ્ય નથી (આ તો આપણે જ્યારે ઊંઘી રહ્યા છીએ ત્યારે લોકોને સ્વીકારવા જેવું છે! તે સહેલું છે!). પરંતુ, જ્યારે જાગૃતિ આવે છે - નાગ મહાન સતર્કતાનું પ્રતિક છે - ત્યારે તે સાચી સ્વીકૃતિ અને પ્રેમ છે. ગણેશનો એક હાથ ઊંચે છે અભય મુદ્રામાં છે એનો અર્થ 'ડર નહીં - હું તારી સાથે છું' અને તેમનો બીજો હાથ નીચે તરફ વરદ મુદ્રામાં છે (વરદાન આપવાનું પ્રતિક છે) તેનો અર્થ છે - નિરંતર દાન અથવા નીચે નમવાનું આમંત્રણ. (નીચે નમવાનો અર્થ એ છે કે ફરી પૃથ્વી સાથે એકરૂપ થવું, આપણે છેવટે પૃથ્વીમાં પાછા સમાઇ જઈશું તે સત્યને સ્વીકારવું.ગર્ભાશયમાં આપણે એવી સ્થિતિમાં હોઇએ છે જ્યાં આપણું માથું વળી ગયું છે, આપણું શરીર એક વર્તુળાકારે છે. જન્મ સમયે પણ આપણું માથું નીચેની તરફ ઝુકેલું હોય છે. નીચે વળીને નમન કરવું તે આપણી પ્રકૃતિ છે). ગણેશને એક જ દંત છે જેનો અર્થ થાય છે એક કેન્દ્રિય ધ્યાન.

આપણે ઘણી વાર વાર્તા સાંભળી છે કે જ્યારે ગણેશ તેના માતાપિતાને 'સાષ્ટાંગ દંડવત પ્રણામ' કરવા માટે પ્રયત્ન કરે છે ત્યારે ચંદ્ર હસે છે. અહીં ચંદ્ર મનને દર્શાવે છે - મન શાણપણ પર હસતું હોય છે.

ગણેશ મોટેભાગે કમળ પર બેસેલા જોવામાં આવે છે - કમળ પર આધાર રાખતો એક હાથી એ  કેટલું વિચિત્ર છે! આ દર્શાવે છે કે તે અત્યંત સંવેદનશીલ છે. ગણેશ હંમેશા ઉંદર પર સવાર જોવા મળે છે. મુસાફરીનું આ સૌથી અનપેક્ષિત સાધન છે, કલ્પના કરો - ઉંદર પર હાથી! આનું ઊંડું રહસ્ય છે, ઉંદર ધીમેધીમે આપણને બાંધતા દોરડા ને કાપે છે. ઉંદર જે વસ્તુઓને ધીમે ધીમે કાપે છે તે મંત્ર જેવું છે જે અજ્ઞાન ના થર ના થર કાપી શકે છે અને હાથી ને પણ ઉંચકી શકે છે. કાળા ડીબાંગ અંધકાર ને દૂર કરવા માત્ર એક કિરણ નું અજવાળું  જરૂરી છે; તે જ રીતે આપણી અજ્ઞાનતાથી મુક્ત થવા બહુ બધી વસ્તુઓ જરૂરી નથી - માત્ર એક નાની નિરંતર જાગૃતિ પૂરતી છે. ગણેશના શસ્ત્રો પણ પ્રતિકાત્મક છે - તે પોતાના હાથમાં 'અંકુશ' (એક નાની લાકડી જેના વડે હાથીને જગવવામાં આવે છે; એટલે જેનો અર્થ છે ‘જાગૃતિ) અને 'પાશ’ (દોરડાનો ફાંસો જે નિયંત્રણ સૂચવે છે) રાખે છે. જાગૃતિ સાથે ખૂબ ઊર્જા પ્રકાશિત થાય છે કે જે યોગ્ય માર્ગદર્શન વિના ઘણું નુકશાન કરી શકે છે.

ગણેશ રહસ્ય

આ દુનિયાનું અંતિમ સત્ય એ છે કે તે માત્ર અણુઓનો સંગ્રહ છે - તે સિવાય બીજું કશું નથી. તેને 'ગણ' (સામૂહિક સર્વનામ) કહેવામાં આવે છે. આપણું શરીર 'ગણ' છે - તે માંસ, રક્ત અને અસ્થિ મજ્જાનું બનેલું છે. આ બધા ગણના ભગવાન તે 'ગણેશ' છે.

ગણેશ અચિંત્ય, અવ્યક્ત, અને અનંત છે. તે વિચાર કે બાહ્ય અભિવ્યક્તિ ની પરે છે અને શાશ્વત છે. તેમના જેટલું સુંદર બીજું કોઈ નથી અને તે સર્વવ્યાપી છે.

હવે પ્રશ્ન ઊભો થાય છે કે શા માટે આ એક ચેતના અને એક સર્વોચ્ચ સત્તા ને હાથીના રૂપમાં દર્શાવવામાં આવી છે? હાથીના કેટલાક વિશિષ્ટ ગુણો છે - તે નિર્ભીક છે અને તેની ચાલ ઉત્તુંગ છે. તે તેના માર્ગ માં આવતા કોઈપણ અવરોધનો નાશ કરે છે. હાથી એ સત્તા, સહનશીલતા, શક્તિ અને હિંમતનું પણ પ્રતીક છે. આપણે આ બધા ગુણોને આપણી ચેતનામાં જગાવી શકીએ છીએ.

હાથીની લાંબી સૂંઢ એ જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ વચ્ચેના સંતુલનનું પ્રતિક છે. ગણેશને માત્ર એક દાંત છે જે 'એક અદ્વૈત ચેતના' નું પ્રતિક છે.

આપણને ઘણી વાર પ્રશ્ન થાય છે કે શા માટે આટલા મોટા ગણેશ નાના ઉંદર પર બેસે છે? આનું કારણ એ છે કે ઉંદર તર્ક અને આત્મજ્ઞાનનું પ્રતિક છે અને તેના પર 'સર્વોત્તમ જ્ઞાન' ના પ્રતીકરુપ ગણેશ બીરાજે છે.

ગણેશના હાથમાં લાડવો (મોદક) એ પરમ આનંદ ની પ્રાપ્તિ દર્શાવે છે. તેમનો એક હાથ તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. તેમના એક હાથમાં પાશ (દોરડું) છે જે પોતાની જાતને શિસ્તમાં બાંધવાનું પ્રતિક છે. તો બીજા હાથમાં અંકુશ (ભાલો) છે, જે સ્વ-નિયંત્રણ દર્શાવે છે.

ગણેશના મોટા પેટની આસપાસ સર્પ બાંધેલો છે. આ જાગૃત સ્વીકૃતિ માટે દર્શાવાય છે. આપણે દૂર્વા ઘાસના રૂપમાં ગણેશને આપણા દુઃખ અને તકલીફ સમર્પિત કરીએ છીએ.

આપણે ગણેશના જન્મની વાર્તા સાંભળી છે. પાર્વતીના શરીરમાંથી નીકળેલ મેલમાંથી ગણેશનો જન્મ થયો. પાર્વતી ઉજવણી અથવા ઉત્સવમાંથી પ્રકટતી ઉચ્ચ ઊર્જા છે, અને આ ઉચ્ચ ઊર્જામાં હંમેશા નકારાત્મકતાના કેટલાક પાસા હોય છે - તેને આ મેલના પ્રતિક દ્વારા દર્શાવેલી છે. જ્યારે આ મેલ ના શરીરને શિવ તત્વ નો સંપર્ક થયો ત્યારે તેનું માથું, જે અહંકારનું પ્રતિક છે, ખરી પડ્યું અને ત્યારબાદ તેના પર હાથીનું માથું મૂકવામાં આવ્યું. ગણેશને સ્વયં ભગવાન શિવ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યો હતો કે કોઈ પણ પ્રસંગ અથવા પૂજાની શરૂઆતમાં તેમની (ગણેશની) પૂજા કરવામાં આવશે.

Tuesday, 8 August 2017

ગુરુવચન

જ્યારે તમે જીવનને પવિત્ર ગણો છો, ત્યારે પ્રકૃતિ તમારી સેવામાં તત્પર રહે છે.

Sunday, 6 August 2017

રક્ષા બંધન

આ પૂર્ણિમા ઋષિઓ ને સમર્પિત છે. તેને રક્ષાબંધન પણ કહેવાય છે. એક એવું બંધન, જે તમને રક્ષણ આપે છે - તમારું જ્ઞાન સાથેનું, ગુરુ સાથેનું, સત્ય સાથેનું, અને સ્વ સાથેનું બંધન જે તમારી રક્ષા કરે છે. તમને બાંધેલું દોરડું કાં તો તમારું રક્ષણ કરે છે કાં તો તમને ગુંગળાવીને મારી નાખે છે. નાનું મન અને દુન્યવી વસ્તુઓ તમને ગુંગળાવે છે. વિરાટ મન અથવા જ્ઞાન તમને બચાવે છે. રક્ષા બંધન તે એવું બંધન છે જે તમને બચાવે છે.

તમે સત્સંગ સાથે બંધનથી બંધાયેલા છો - તમારા ગુરુ સાથે બંધન, સત્‌ સાથે, ૠષિઓના પ્રાચીન જ્ઞાન સાથેનું બંધન તમને તારે છે.

બંધન તમને બાંધે છે અને બંધન જીવનમાં આવશ્યક છે. આ દૈવી બંધન તમને જીવનના નાના બંધનોથી મુક્ત કરશે!

Saturday, 5 August 2017

ગુરુજી સાથે પ્રશ્નોત્તરી

પ્રશ્ન: ત્યાગ અને સંન્યાસ વચ્ચે શું તફાવત છે?
શ્રી શ્રી રવિ શંકર:
ત્યાગ એટલે છોડી દેવું, અને સંન્યાસનો અર્થ છે સ્થિતપ્રજ્ઞ અને વિરાગી. ન્યાસ એટલે કેન્દ્ર, વ્યાસ એટલે પરિધિ અને સંન્યાસ એટલે બધો વખત કેન્દ્રિત રહેવું.

પ્ર: અવકાશ અને સમય વચ્ચે શું તફાવત છે?
શ્રી શ્રી રવિ શંકર:
અવકાશ એટલે બે પદાર્થો વચ્ચેનું અંતર અને સમય એટલે બે ઘટનાઓ વચ્ચેનું અંતર, અને તે બંને બદલાતા રહે છે. ત્રણ પ્રકારના અવકાશ છે - , ચિત્તાકાશ, ચિદાકાશ અને ભૂતાકાશ.

ભૂતાકાશ બાહ્ય અવકાશ છે, ચેતનાનું અવકાશ છે, અને તે બદલાય છે. ચિત્તાકાશ પણ બદલાય છે, પણ ચિદાકાશ ક્યારેય બદલાતું નથી. ઘણા સિદ્ધાંતો છે પરંતુ આપણે ધણું ઓછું  જાણીએ છીએ. એ જાણો કે આપણે સમય બદલી શકીએ છીએ. સમયની સાથે તમે બદલાઓ અને તમે સમય બદલો, પરંતુ તમને સમય તમને બદલે તેની રાહ ન જુઓ.

Wednesday, 2 August 2017

ગુરુવચન

તમારા સદગુરુની હાજરીમાં જ્ઞાનનું વર્ધન થાય છે; દુ:ખ નું શમન થાય છે; કોઈ પણ કારણ વગર આનંદ ઉદ્ભવે છે; અભાવ ઘટે છે, સમૃદ્ધિ વધે છે અને તમામ પ્રતિભાઓ પ્રગટ થાય છે.

Tuesday, 1 August 2017

શ્રદ્ધા કેવી રીતે કેળવી શકાય?


૨૪ જુલાઇ, ૨૦૧૭, બૂન આશ્રમ, અમેરિકા

શ્રદ્ધા કેળવી શકાતી નથી, તે ફક્ત હોય છે!

તમે તમારી ગાડી પાર્કીંગ માં મૂકો છો ત્યારે તમને વિશ્વાસ છે કે જ્યારે તમે પાછા આવશો ત્યારે ગાડી ત્યાં જ હશે.

તમે એટલાન્ટા, કેલીફોર્નિઆ કે પછી અન્ય સ્થળેથી અહીં આવ્યા હશો, પરંતુ તમને વિશ્વાસ છે કે જ્યારે તમે પાછા જશો, ત્યારે તમારું ઘર અકબંધ રહેશે. તમને વિશ્વાસ છે કે તમારી નોકરી સુરક્ષિત છે અથવા તમારો વ્યવસાય સુરક્ષિત છે. આ શ્રદ્ધા છે. શ્રદ્ધા તે કંઈક સહજ છે.

શ્રદ્ધા ના 3 પ્રકારો

ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે:
૧. પોતાની જાત પર શ્રદ્ધા (આત્મશ્રદ્ધા),
૨. તમારા આસપાસના લોકોની ભલાઇ અને સમાજના કાયદામાં શ્રદ્ધા,
૩. એમાં શ્રદ્ધા જે અદ્રશ્ય છે, જે અમૂર્ત છે અને જે કારણ અને તર્કથી પરે છે

દરેક વ્યક્તિએ એવી કંઇક ઝાંખી અનુભવી છે જે તર્કની પરે છે, અને જેને બુદ્ધિ વડે સમજી શકાતી નથી. ભલે કોઇ ગમે તેટલી ના પાડે, પણ દરેક વ્યક્તિએ ક્યારેક તો એવો એક અનુભવ કરેલો છે જે આ બધી મર્યાદાની પરે છે. આ અદ્રશ્યમાં વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા છે.

આ ત્રણ પ્રકારની શ્રદ્ધા અથવા વિશ્વાસ હોવા જરૂરી છે, અને સામાન્ય રીતે તે દરેકમાં હોય છે. જો તમે સ્વસ્થ વ્યક્તિ હો, તો તે હોવા જોઈએ. જો તમને કેટલીક મનોવૈજ્ઞાનિક બીમારી કે વહેમ હોય, તો પછી તમારામાં આત્મશ્રદ્ધા નથી હોતી.

આત્મશ્રદ્ધા નો અભાવ અન્ય પ્રત્યે અશ્રદ્ધા રાખવા પ્રેરે છે

એક વખત એક દંપતી મને મળવા આવ્યા. તેઓ આશ્રમથી માત્ર ૧૦ મિનિટ દૂર રહેતા હતા, પરંતુ મને મળવા આવતા તેમને ૫ કલાક લાગ્યા. મેં કહ્યું, "આવું કેવી રીતે થયું?" પત્નીએ કહ્યું કે જે ક્ષણે તેના પતિ ઘરમાંથી નીકળીને થોડાક પગથિયાં ચાલ્યા, તેને લાગ્યું કે બારણે તાળું મરાયેલું નથી. તેથી, તે પાછા ગયા અને બારણું ચકાસ્યું. તેણે ખાતરી કરવા માટે તાળું બે ચાર વાર ખૅંચી જોયું અને બારણું પણ બે ચાર વખત ખેંચ્યું. ફરીથી, થોડા પગલાં ચાલ્યા અને તે જ શંકા આવી એટલે તે દરવાજે તાળું બરાબર મારેલું છે તે ચકાસવા માટે પાછા ગયા. આ વ્યક્તિને ભ્રમ હતો; તેમને પોતાની જાત પર શ્રદ્ધા ન હતી. આ મનોવૈજ્ઞાનિક બીમારી છે.

સમાજમાં, તમને એવા ઘણા લોકો મળશે જે આત્મવિશ્વાસ ના અભાવથી પીડતા હોય છે, પરંતુ તેમનું નિદાન થયુ હોતુ નથી. આત્મ-વિશ્વાસનો અભાવ અન્ય પ્રત્યે અવિશ્વાસની લાગણી તરફ દોરી જાય છે - તમને હંમેશાં એવું લાગે છે કે બીજા બધા તમારા દુશ્મન છે, અથવા દરેક વ્યક્તિ તમારી પર ગુસ્સે થાય છે, અથવા બધા તમને મારવાનો પ્રયાસ કરે છે. તમે આવી રીતે જીવી શકો? અશક્ય.

તમે બહાર તમારી કાર પાર્ક કરીને અંદર આવો, પછી તમે એવું વિચારવાનું ચાલુ ન રાખી શકો કે જ્યારે હું પાછો જાઉં ત્યારે મારી કાર ત્યાં હશે કે નહીં? તમે લેબનોન અથવા અફઘાનિસ્તાનમાં રહેતા હો તો જુદી વાત છે, જ્યાં આવા બનાવો બની શકે છે, ત્યાં આ ભય વાજબી છે! (શ્રોતાઓમાં હાસ્ય)

સમગ્ર બ્રહ્માંડમાં એક સર્વજ્ઞ શક્તિ છે

આપણે અહીં ફક્ત ૬૦-૭૦ વર્ષ માટે છીએ, અને આપણને એમ લાગે છે કે આપણે સમગ્ર વિશ્વના નિયંત્રણમાં છીએ. આ કેવડો મોટો ભ્રમ છે! આ પૃથ્વીનું લાખો વર્ષોથી અસ્તિત્વ છે. આ પૃથ્વી પોતે ઓગણીસ અબજ વર્ષ થી ટકી રહી છે, અને આપણે માનીએ છીએ કે આપણે આ સમગ્ર વિશ્વનું સંચાલન કરી રહ્યા છીએ.

આના કરતાં મોટો બીજો કોઇ ભ્રમ ન હોઈ શકે. એક શક્તિ છે જે આ ગ્રહની કાળજી લે છે અને તે આ પૃથ્વીની કાળજી આવનારા લાંબા કાળ સુધી લેશે. અને વિશ્વમાં માત્ર એક જ ગ્રહ નથી પરંતુ આવા અબજો ગ્રહ છે, અને ઘણા બધા જીવન છે.

આપણને લાગે છે કે આપણે ખોરાક પૂરો પાડીએ છીએ અને આપણે જીવનની બધી જરુરીયાત પૂરી પાડી રહ્યાં છીએ. પરંતુ જો આપણે દરિયાના પાણીની અંદર ઉંડે ડૂબકી લગાવીને જોઇએ તો  - ત્યાં સમગ્ર વિશ્વ છે અને ત્યાં બધા જીવોની કાળજી લેવાઇ રહી છે. દરેક પ્રાણી ને ખાવા માટે કંઈક પૂરું પાડવામાં આવી રહ્યું છે.

મને ૧૨ મી સદીના સંતની વાત યાદ આવે છે - “અજગર કરે ના ચાકરી, પંછી કરે ન કામ, દાસ મૌલક કેહ ગયે, સબકે દાતા રામ”.

તે કહે છે, એક અજગર કોઈ પણ માલિકની સેવા કરતો નથી, અને પક્ષી કંઈ નોકરી શોધતા નથી, પરંતુ ભગવાન દ્વારા દરેકને માટે ખોરાક પૂરો પાડવામાં આવે છે. તો તમે શા માટે ચિંતા કરો છો!

અજગર ખૂબ આળસુ છે અને ખૂબ જ ધીરે ધીરે ચાલે છે; તે ફક્ત બધો સમય પડી રહે છે. પરંતુ, પક્ષીઓ ખૂબ જ વ્યસ્ત જીવો છે, તે હંમેશા આમતેમ ઉડતા હોય છે. છતાં બંને નું સમાન રીતે ધ્યાન રાખવામાં આવે છે; ઇશ્વર દરેકના ક્ષેમકુશળનું ધ્યાન આપે છે.

આ લોકોમાં આત્મવિશ્વાસ જ્ગાવવા માટે કહેવામાં આવ્યું છે - તમે ધીમે ધીમે ચાલો કે ઝડપથી આગળ વધો, તમારી સંભાળ લેવામાં આવશે. તમે ખૂબ જ વ્યસ્ત હો કે ગોકળગાયની ગતિથી આગળ વધતા હો, બ્રહ્માંડ ની ચેતનામાં કરુણા છે, અને ઇશ્વર દરેકને માટે પૂરું પાડે છે.

હવે, જ્યારે તમને આ ખ્યાલ આવે છે અને અંદરથી જાગૃત થાઓ છે, ત્યારે શ્રદ્ધા તેની આડપેદાશ તરીકે આવે છે. શ્રદ્ધા આપણી અંદર જ હોય છે, પરંતુ આ જાગરૂકતા સાથે તે પ્રકટ થાય છે.

Monday, 24 July 2017

ગુરુજી સાથે પ્રશ્નોત્તરી

પ્ર: ગુરૂદેવ, એવું કહેવાય છે કે સંગીત આપણા શરીરના શક્તિના ચક્ર પર અસર કરે છે. તમે  જુદા જુદા વાજીંત્રો  અને ચક્રો પર તેમની વિવિધ અસર વિશે વાત કરશો.
શ્રી શ્રી રવિ શંકર:
ઢોલ મૂળાધાર ચક્ર (જે કરોડરજ્જુના છેડે હોય છે) ને અસર કરે છે. મોટા અને નાના ઢોલ અને તબલા, તેનો પ્રભાવ મૂળાધારથી સ્વાધિષ્ઠાન ચક્ર (બીજું ચક્ર જે મૂળાધારથી ચાર ઇંચ ઉપર છે) સુધી હોય છે. ટ્રમ્પેટ જેવા મોટા હવાથી ચાલતા વાજીંત્રો બીજાથી ત્રીજા ચક્ર (સ્વાધિષ્ઠાનથી મણિપુર, મણિપુર ચક્ર નાભિપ્રદેશમાં હોય છે) ને અસર કરે છે. મેટાલિક (ધાતુના) અવાજો મણિપુરથી અનાહત (ચોથું ચક્ર જે છાતીના મધ્યમાં હોય છે) પર અસર કરે છે. જ્યારે તમે ધાતુ પર કશું ઘસાવાનો તીણો કર્કશ અવાજ સાંભળો છો, ત્યારે તમારા પેટમાં કંઈક થાય છે. કેટલા લોકોએ આ નોંધ્યું છે? તંતુ વાદ્યની અસર નાભિથી હૃદય સુધી થાય છે. વીણા અને સિતાર જેવા તંતુવાદ્યો અનાહત ચક્ર (હૃદય પાસે આવેલું ચક્ર) પર અસર કરે છે.
વાંસળી સંગીત, વાયુવાદ્યો અને ક્યારેક પિયાનોનો ધ્વનિ અનાહતથી વિશુધ્ધિ સુધી અસર કરે છે (વિશુધ્ધિ એ ગળામાં આવેલ ચક્ર છે). મંજીરા, વહેતા પાણીનો ધ્વનિ, પક્ષી નું ગાયન, ખૂબ જ ધીમા અને સૂક્ષ્મ ધ્વનિની ગળાથી આજ્ઞા ચક્ર (જે કપાળમાં બે ભ્રમરોની વચ્ચે છે) માં અસર થાય છે. પછી છેલ્લે સહસ્ત્રાર (માથાની ઉપરનો મધ્ય ભાગ જે પોચો હોય છે) પર ધ્યાનની અને જ્યારે તમામ વાજીંત્રો એકસાથે વાગતા હોય ત્યારે અસર થાય છે.


જો તમે કોઈ ભારતીય ધાર્મિક વિધિઓ જોશો, તો તમને સમજાશે કે તેમને આ જ્ઞાનની જાણ હતી. મંદિરોમાં, તેઓ સૌથી બહાર નગારા રાખતા હતા, પછી મોટા વાયુવાદ્યો હોય છે, અને છેક અંદર ગર્ભગૄહમાં ઘંટ અને શંખ હોય છે. તેથી, ધ્વનિ તરંગો નગારાથી વાયુવાદ્યો માં સંતુલિત થાય છે, પછી તંતુવાદ્યો, પછી ફરીથી વાયુ વાદ્યો અને પછી ઘંટ અને છેવટે, તે બધાનો મૌનમાં સમાવેશ થાય છે. ધ્વનિનો હેતુ મૌન છે. તમે બધા એ જાણો છો? ધ્વનિ મૌનમાંથી ઉદ્‌ભવે છે અને તેનું ધ્યેય મૌન છે. મૌન એટલે સંપૂર્ણ સંવાદિતા. જયારે તમારી અંદર સંપૂર્ણ સંવાદિતા હોય છે, ત્યારે ધ્વનિ પણ એક ભારે પદાર્થ જેવો લાગે છે. મૌન સુધી પહોંચવાનો માર્ગ ધ્વનિ દ્વારા, સંગીત દ્વારા છે. સંગીત વ્યક્તિ ને વૈશ્વિક ચેતના સાથે જોડે છે. મર્યાદિત મન સંગીત દ્વારા વિસ્તરે છે અને અનુભવે છે કે તે વૈશ્વિક ચેતના નો એક ભાગ છે.

Saturday, 22 July 2017

મૃત્યુ અને આધ્યાત્મિકતા

મૃત્યુ તમને જીવનની વાસ્તવિકતા સાથે સંપર્કમાં લાવે છે મૃત્યુ એક શૂન્યાવકાશ સર્જે છે. શૂન્યાવકાશ ચેતના ના પ્રગટ થવા માટેની ફળદ્રુપ જમીન છે. બધી પ્રતિભા, શોધ, સર્જનાત્મકતા શૂન્યાવકાશમાંથી પ્રગટ થાય છે, અને આખું સર્જન પાછું શૂન્યાવકાશમાં વિલીન થઇ જાય છે.


ભરત કહે છે, "જ્યારે તમે શૂન્યને ટાળો ત્યારે બધી સમસ્યાઓ સર્જાય છે!" (હાસ્ય)


વિશ્વના બધા ધર્મોના પૂજાના સ્થળો સ્મ્શાન / કબ્રસ્તાન સાથે જોડાયેલા છે, કારણ કે માત્ર મૃત્યુ જ વૈરાગ્ય લાવી શકે છે તમને જ્ઞાનમાં સ્થાપિત કરી શકે છે. ભારતીય પૌરાણિક કથા અનુસાર, શિવનું નિવાસસ્થાન કૈલાસ પર્વત તેમજ સ્મશાન બન્ને છે.

કૈલાસનો અર્થ થાય છે "જ્યાં માત્ર ઉજવણી છે", અને સ્મશાન એ જગ્યા છે જ્યાં માત્ર શૂન્યાવકાશ છે. આમ દિવ્યતા શૂન્યાવકાશ તેમજ ઉત્સવ બન્નેમાં રહે છે. તમારામાં શૂન્યાવકાશ છે, તમારામાં ઉત્સવ છે!

Wednesday, 19 July 2017

મન પર આ ત્રણ વસ્તુઓની અસર થાય છે

જો તમે નકારાત્મક વિચારોનો પ્રતિકાર કરતા રહેશો અને તેમને દૂર કરવાનો પ્રયાસ કર્યા કરશો, તો તેઓ તમને ભૂતની જેમ વળગશે. નકારાત્મક વિચારો સાથે હાથ મિલાવો. તેમને કહો, "અહીં આવ અને મારી સાથે બેસ. હું તને છોડીશ નહીં" અને તમે જોશો કે તે એકદમ ઝડપથી અદૃશ્ય થઈ જાય છે.


જ્યારે નકારાત્મકતા અથવા કોઇ પણ જાતના વિચારોની વાત કરીએ તો મન પર નીચેની ત્રણ વસ્તુઓની અસર થાય છે:


૧. અન્નઃ
જુદા જુદા ખોરાકની શરીર અને મન પર જુદી જુદી અસર થાય છે, અને તે જ રીતે કેટલી માત્રામાં ખોરાક ખાઓ તેની પણ જુદી જુદી અસર થાય છે. તમે જોયું હશે, જ્યારે તમે થોડુંક ખાઓ છો, ત્યારે તમને શરીર ઊર્જાસભર લાગે છે, પણ જ્યારે તમે ખૂબ ખાઓ છો, ત્યારે તમને થાક લાગે છે,  તમને નીરસતા લાગે છે અને ઊંઘ આવે છે. તમને લાગે છે જાણે જડતાએ તમને પકડમાં લીધા હોય. આ રીતે, અન્ન મનને અસર કરે છે અને આ જ કારણથી આપણા ધર્મગ્રંથો મિતાહારની પ્રથાની તરફેણ કરે છે - ખાવામાં સંતુલન અને સંયમનો ઉપયોગ કરવો.


૨. સંગતઃ
આપણે જે સાંભળીએ છીએ તે આપણા મન પર અસર કરે છે. આપણે જે લોકોની સાથે હોઇએ છે તે આપણા મન પર અસર કરે છે. જો આપણે સારી સંગતમાં હોઇએ, તો તે આપણા પર સારી અસર કરે છે. જો આપણે ખરાબ સોબતમાં હોઇએ, તો ગુસ્સો, ઈર્ષ્યા જેવી નકારાત્મક લાગણીઓ ની આપણા પર અસર રહે છે. સારી સંગતથી મનમાં સારી લાગણીઓ અને સારા વિચારો રહે છે અને ખરાબ સંગતમાં મન અન્ય વ્યક્તિ વિશે ફરિયાદ કરવી વગેરે નકારાત્મકતાથી ભરાઇ જાય છે. તેથી, તમે જેવી સંગત રાખશો તેવી તમારા મન પર અસર થશે.


૩. સમયઃ
સમયની અસર ભૌતિક બાબતની સાથે સાથે મનના સ્તર પર પણ થાય છે. જો તમે સફરજન ખરીદો અને તેને ટોપલીમાં રાખો, તો સમય જતાં તે સડવા માડે છે. જ્યારે તમે કોઈપણ વસ્તુ જુઓ છો, ત્યારે તમે જાણી શકો છો કે તે કેટલી જૂની છે. તેથી, સમયની ભૌતિક વસ્તુઓ પર અસર થાય છે. આપણા શરીરમાં સમય સાથે ફેરફાર થાય છે.


સમયની મન પર પણ અસર પડે છે, પરંતુ લોકો ભાગ્યે જ આ નોટિસ કરે છે. તમને સવારે કેવું લાગે છે તે બપોરે કેવું લાગે છે અને સાંજે કે રાત્રે કેવું લાગે છે તેનાથી અલગ હોય છે - તમારા મનની અવસ્થા અને લાગણીઓ બદલાતા રહે છે.


તેવી જ રીતે, વિચારો પણ સમય દ્વારા પ્રભાવિત થાય છે. શિયાળુ, ઉનાળો અને ચોમાસું મનને અલગ અલગ રીતે અસર કરે છે. પ્રાચીન સમયમાં લોકોએ તેના પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો - કેવી રીતે ચંદ્રની વિવિધ માત્રાની મન પર ચોક્કસ અસર થાય છે. તેથી તેઓ તારા-બળ અને ચંદ્ર-બળ એવી અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે. ચંદ્ર એક નક્ષત્રમાં આશરે અઢી દિવસ રહે છે, પછી તે અન્ય નક્ષત્રમાં જાય છે. તેથી, અઢી દિવસમાં મનની અવસ્થા માં ચોક્કસ ફેરફાર થાય છે.


તો આ પ્રશ્ન ઉઠે છે, "શું આપણે આપણા મનના ગુલામો છીએ?"


હું ના કહીશ, કારણ કે મનની પરે બુદ્ધિ છે, અને જ્યારે બુદ્ધિ મજબૂત હોય છે, ત્યારે તે મન પર થતી આ પરિબળો ની અસરને નાબૂદ  કરે છે. જ્યારે બુદ્ધિ નબળી પડે, ત્યારે લાગણીઓ મનનો કબજો લઈ લે છે.


અને જો બુદ્ધિ પર પણ અસર થાય તો?

તો બુદ્ધિની પરે પણ કંઈક છે અને તે આત્મા છે. અને અહીં ધ્યાન મદદ કરે છે. જ્યારે તમે ઊંડે ધ્યાનમાં જાઓ છો, ત્યારે તમારી ચેતના ખૂબ જ સૂક્ષ્મ બની જાય છે, અને તમારું મન ફૂલોની જેમ તાજું બને છે. ચેતનાની આવી નાજુક અવસ્થામાં બધા વિચારો દૂર થઈ જાય છે, લાગણીઓ સ્થાયી થાય છે અને તમે અંતરના ઉંડાણમાં સત્‌, ચિત્‌, અને આનંદનો અનુભવ કરો છો.

Saturday, 15 July 2017

ગુરુ પૂર્ણિમા ૨૦૧૭ નિમિત્તે ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરનો સંદેશ



૯ જુલાઇ, ૨૦૧૭, બૂન આશ્રમ, અમેરિકા

"ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ તમને યાદ અપાવે છે કે તમે વિશ્વનો પ્રકાશ અને વિશ્વ માટેનો પ્રકાશ છો. સારો પ્રકાશ કે ખરાબ પ્રકાશ હોતો નથી. પ્રકાશ એ માત્ર પ્રકાશ છે! તેથી, ગંભીર ન બનો - હળવા બનો! (અંગ્રેજીમાં light શબ્દના બે અર્થ છે, પ્રકાશ અને હળવું, એના પર ગુરુજીનો રમૂજભર્યો શબ્દપ્રયોગ)

તમે પ્રકાશરૂપ છો તે યાદ કરવાનો દિવસ

ગુરુ પૂર્ણિમાની ઉજવણી તમને યાદ કરાવે છે કે તમારે એક સત્ય પર મનન કરવાની જરૂર છે - તમે પ્રકાશરૂપ છો તે. તેનો ઉદ્દેશ તમારા જ્ઞાનને તાજું કરવાનો છે અને તમારી લાગણીઓને પુનર્જીવિત કરવાનો છે.

ઉત્સવ લાગણીઓને સજીવન કરે છે, ચેતનાનો પુનઃસંચાર કરે છે અને તમને જ્ઞાનની યાદ અપાવે છે. આ ઉજવણીનો હેતુ છે. આ બધું આપણામાં પ્રત્યેક સમયે હોય છે, પણ તેને બહાર લાવવા એક પ્રસંગ જરૂરી હોય છે.

જુઓ, દરિયામાં પાણી હંમેશાં હોય છે, પણ જ્યારે પૂર્ણિમા નો ચંદ્ર હોય ત્યારે ભરતી ના મોજા ઉંચે ઉછળે છે. એ જ રીતે, ઉત્સવ તમને યાદ અપાવે છે - તમે પ્રકાશ છો, તમે સુંદર, પ્રેમાળ અને દયાળુ છો; તે જ્ઞાનને તાજું કરે છે અને લાગણીઓને ફરી જીવંત કરે છે. સમયાંતરે લાગણીઓને પુનર્જીવિત કરવાની જરૂર છે, અને તે જ ગુરુ પૂર્ણિમાની ઉજવણી નો હેતુ છે.

તમે લાખો વર્ષો થી ચાલી આવતી પ્રાચીન પરંપરાનો ભાગ છો. તમે જ્ઞાન ના સાગરનું એક બિંદુ છો, અને ગુરુ પૂર્ણિમાના દિવસે, તમે આ યાદ કરીને, તમારી જાતને નવપલ્લવિત કરો છો! તે માત્ર યાદ અપાવવાની જ જરૂર છે, અને તે સાથે કૃતજ્ઞતાનો ભાવ ઉભરી આવે છે.

શિષ્ય ના બે પ્રકાર

સંસ્કૃતમાં, શિષ્ય માટે બે નામો છે
1. અંતેવાસી - જે ગુરુની અંદર વસે છે
2. કરકમલસંજાત - એક વિદ્યાર્થી જે ગુરુના હાથમાંથી જન્મે છે, અને સંઘની લાગણીઓ તથા જ્ઞાન દ્વારા પોષાય  છે.

તેથી, ગુરુ પૂર્ણિમા એ યાદ કરવાનો ઉત્સવ છે કે તમે વિશ્વનો પ્રકાશ છો અને જગત માટે પ્રકાશ છો.

કોઈ સારો પ્રકાશ અને ખરાબ પ્રકાશ હોતો નથી. પ્રકાશ માત્ર પ્રકાશ છે! તેથી, ખૂબ ગંભીર ન બનો - હળવા બનો! (અંગ્રેજીમાં light શબ્દના બે અર્થ છે, પ્રકાશ અને હળવું, એના પર ગુરુજીનો રમૂજભર્યો શબ્દપ્રયોગ)

જો તમને લાગે કે તમે મૂર્ખ છો, તો તમારા ગુરુ તેજસ્વી છે.
જો તમને લાગે કે તમે તેજસ્વી છો, તો તમારા ગુરુ તર્કહિન છે
જો તમને લાગે કે તમે અતાર્કિક છો, તો તમારા ગુરુ અતિઆકર્ષક છે.
જો તમે ફરિયાદ કરો છો, તો તમારા ગુરુ વધુ કડક બને છે.
જો તમને લાગે કે તમે સંપૂર્ણ છો, તો તમારા ગુરુ અપૂર્ણતા ની ચરમસીમા છે
તમે હજુ પણ ગુરુ મેળવવા માગો છો? તે તમામ પ્રકારની તકલીફોને આમંત્રિત કરે છે!
ગુરુ બનવું કે શિષ્ય એવો ક્યારેક તમારી પાસે કોઈ વિકલ્પ હોતો નથી. મારે ગુરુ બનવું નહોતું, પરંતુ મારા માટે વિકલ્પ નહોતો. જો તમે બીજાને કોઇ પ્રકારનું શિક્ષણ આપતા રહો, તો તમે ગુરુ બની જાઓ છો. તમે ભલે ન સ્વીકારો, પરંતુ તમે ગુરુ જ કહેવાશો કારણ કે ગુરુતત્ત્વ તમારા દ્વારા પ્રકટે છે.

પોતાની જાતને નસીબદાર સમજવાનો એક દિવસ

આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણી પાસે આ પ્રાચીન પરંપરા અને અપ્રતિમ જ્ઞાન છે જે સંપૂર્ણ છે, વૈજ્ઞાનિક છે અને તેથી જીવન ના સર્વાંગી પરિવર્તન માટે ચાવીરૂપ છે. તે ખૂબ સુંદર છે! એક નજર ભૂતકાળમાં નાખી જુઓ, ધારો કે તમે ધ્યાન શીખ્યા ન હોત અથવા આ જ્ઞાન વિશે કશું જાણતા ન હોત, તો તમે ક્યાં હોત? આ એક માત્ર વિચાર તમને ઉત્તેજન આપશે, તમને જગાડશે, અને તમને નવપલ્લવિત કરશે અને ઉજવણી એ માટે જ છે!

આ વિશ્વના તમામ ઉત્સવો વિશ્વમાં બનતી કેટલીક મોટી ઘટના સાથે સંકળાયેલા છે. ક્રિસમસ ઇસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણી છે. દરેક ઉજવણી- ચાહે તે ઇદ હોય, બુદ્ધ પૂર્ણિમા, કે જન્માષ્ટમી હોય - એક ઘટના સાથે સંકળાયેલ છે. તેવી જ રીતે, તમારા જીવનમાં તમે લગ્નની વર્ષગાંઠોની ઉજવણી, જન્મદિવસો ની ઉજવણી વગેરે કરો છો તે બધી ઘટનાઓ સાથે જોડાયેલ છે. એક જ ઉજવણી છે જે ઘટનાઓની પરે છે, પરંતુ તે જીવનના સાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને તે ગુરુ પૂર્ણિમા છે. તે જ્ઞાન અને શાણપણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જીવનમાં શાણપણનો ઉદ્ભવ થાય તેનો ઉત્સવ ગુરુ પૂર્ણિમા છે, અને તે ગુરુપરંપરાને સમર્પિત છે.

Friday, 9 June 2017

શું તમે જાણો છો કે તમારા હાથની દરેક આંગળી એક ગ્રહ સાથે જોડાયેલી છે?

તમારા હાથની દરેક આંગળી એક ગ્રહ સાથે જોડાયેલી છે. અંગૂઠો મંગળ સાથે જોડાયેલો છે. મંગળ એકલો હોય છે. પહેલી આંગળી ગુરુ સાથે જોડાયેલ છે (ગુરુ માર્ગ બતાવે છે, તે શિક્ષક છે). જ્યારે તમે કંઈક બતાવવા માંગો છો, ત્યારે તમે પહેલી આંગળી ચીંધીને બતાવો છો, આ ગુરુ છે. વચ્ચેની આંગળી (જે સૌથી લાંબી છે) શનિ સાથે જોડાયેલી છે; શનિ સેવક છે. ત્રીજી આંગળી (જેના પર લોકો સામાન્ય રીતે વીંટી પહેરતા હોય છે)  સૂર્ય સાથે જોડાયેલી છે; સૂર્ય એ રાજા છે. અને ઝવેરાત કોણ પહેરે છે? રાજા, અને તેથી તમે ફક્ત ત્રીજી આંગળી પર વીંટી પહેરો છો. ટચલી આંગળી બુધ સાથે જોડાયેલી છે. તો જ્યારે તમે ચીન્મુદ્રા કરો છો, ત્યારે શું થાય છે? પહેલી આંગળી (બૃહસ્પતિ) અને અંગૂઠો (મંગળ) એક સાથે મળે છે, તે શાણપણ અને શક્તિ નો મેળાપ છે.

અંગૂઠો મંગળથી શા માટે જોડાયેલ છે? કારણ કે જ્યારે તમે જીતો છો, ત્યારે તમે શું કરો છો? તમે તમારો અંગૂઠો ઉંચો કરીને બતાવો છો. આ વિજયની નિશાની છે. જ્યારે તમે હારો ત્યારે તમે શું કરો છો? તમે તમારો અંગૂઠો નીચો કરીને બતાવો છો. તેથી આ હાવભાવ આપણી સાથે ક્યાંક ઊંડે સુધી જોડાયેલા છે.

વિવિધ ગ્રહો તમારા શરીરના વિવિધ ભાગો પર અસર કરે છે. તમારા દાંત શનિ સાથે જોડાયેલા છે. તમારી આંખો સૂર્ય સાથે જોડાયેલ છે, તમારા ગાલ શુક્ર સાથે જોડાયેલા છે, કપાળ બુધ સાથે, અને નાક ગુરુ સાથે જોડાયેલા છે. એવું કહેવાય છે કે જે પીંડે તે બ્રહ્માંડે. કેટલી રસપ્રદ વાત છે!

તેવી જ રીતે, મન નો મિજાજ ચંદ્ર પર આધાર રાખે છે. આપણો મિજાજ સવા બે દિવસથી વધુ વખત એક સરખો રહેતો નથી. ચંદ્ર તે સમય ગાળામાં એક જ જગ્યાએ હોય છે. જે ક્ષણે ચંદ્ર તે સ્થળેથી ખસે છે; તમારો મૂડ (મિજાજ) પણ બદલાય છે. અને જ્યારે ચંદ્ર અને શનિ ભેગા થાય છે, ત્યારે લોકોને હતાશા (ડિપ્રેશન) થાય છે. એટલે આ લાગણીઓ આવે છે અને જાય છે, તે કંઈ કાયમી નથી. કોઈ ગ્રહ એક સ્થાને કાયમ માટે સ્થિર નથી. તેઓ બધા ફરતા રહે છે. પરંતુ જ્યારે તમે આ લાગણીઓની સાથે તમારી જાતને સંલગ્ન માનો છો, ત્યારે તમે અટવાઇ જાઓ છો. આવા સમયે તમે સ્થગિત થઇ જાઓ છો. તે સ્થગિત લાગણીઓનું ઝેર ત્યારે તમારા શરીરમાં ફેલાય છે અને તમે બીમાર થાઓ છો. આ બધું જાણવાનું બહુ રસપ્રદ છે ને? તો એનો શું માર્ગ છે? તેમાંથી કેવી રીતે આગળ વધવું?

વાદળછાયા દિવસે જ્યારે ફ્લાઇટ શરૂ થાય છે, ત્યારે પ્લેન શું કરે છે? તે વાદળોની ઉપર જાય છે, અને પછી ત્યાં સૂર્યનો પ્રકાશ જોવા મળે છે. આધ્યાત્મિક ઉપાયો પણ તેવું કરે છે. તેઓ આપણને ચિત્તાકાશ (મનમાં રહેલું અવકાશ) થી ચિદાકાશ (શુદ્ધ ચેતનાનો અવકાશ) સુધી લઇ જાય છે. આપણે બધી જ લાગણીઓથી પરે જઇને આગળ વધીએ છીએ.

૧૨ નક્ષત્રોમાંથી પસાર થતા ૯ ગ્રહો પરિવર્તનના ૧૦૮ એકમો લાવે છે. તેથી સારી અસરો વધારવા માટે અને નબળી અસરોને ઘટાડવા માટે, 'ઓમ નમઃ શિવાય' નો જાપ ૧૦૮ વખત કરવામાં આવે છે. તે તમારી ઉન્નતિ કરે છે, તમારી ચેતના્ને ઉન્નત કરે છે અને તમને આગળ વધારે છે. તે તમને ચિદાકાશ (શુદ્ધ ચેતનાનો અવકાશ) સાથે જોડે છે.



Wednesday, 7 June 2017

ભગવાન ગણેશ, રિદ્ધિ અને સિધ્ધિ

પ્રશ્નઃ ગુરુદેવ, ગઇકાલે તમે ભગવાન ગણેશ વિશે લંબાણપૂર્વક વાત કરી હતી. એવું કહેવાય છે કે ભગવાન ગણેશની બે પત્નીઓ અથવા જીવનસંગીનીઓ છે: રિદ્ધિ અને સિધ્ધિ. આની પાછળ શું રહસ્ય છે?

શ્રી શ્રી રવિ શંકર:
આપણા દેશમાં બધી વાર્તાઓની પાછળ પ્રતીક હોય છે, તેથી તેને તે રીતે જુઓ. રિદ્ધિ (બુદ્ધિ) અને સિદ્ધિ (અસાધારણ ક્ષમતાઓ) અને જ્ઞાન હંમેશા સાથે હોય છે. પત્ની એક એવી વ્યક્તિ છે જે દરેક પ્રસંગે તમારી સાથે હોય છે. તેથી રિદ્ધિ અને સિધ્ધિ ને ભગવાન ગણેશની પત્નીઓ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને હંમેશાં તેમની સાથે દર્શાવવામાં આવ્યા હતા.
ફક્ત એક પ્રતીક છે - રીદ્ધિ અને સિધ્ધિના નામની કોઈ અપ્સરા અથવા દેવી નથી. આ વિષે ગેરસમજ કરો.

ભગવાન સૂર્યની પત્નીને છાયા દેવી કહેવામાં આવે છે ("છાયા" એટલે પડછાયો છે). આનો અર્થ નથી કે નામની કોઇ દેવી સ્વર્ગમાં બેઠેલી છે. આપણે બધી વાર્તાઓનું મૂર્ખામીભર્યું અર્થઘટન કરીએ છીએ, અને પ્રતીક ની પાછળ છુપાયેલા ઊંડા અર્થને સમજી શક્યા નથી.
લોકો ભગવાન સૂર્ય માટે સૂર્ય મંદિરનું નિર્માણ કરે છે અને પછી તેની સાથે દેવીની મૂર્તિ સ્થાપિત કરે છે. કેટલાક લોકોએ તો બંને વચ્ચે લગ્નની વિધિ પણ શરૂ કરી છે (હાસ્ય). જ્યાં સૂર્યપ્રકાશ છે ત્યાં છાયા છે. તે બંને સાથે હોય છે, ખરું કે નહીં? જ્યારે કોઈ પદાર્થ પર પ્રકાશ પડે છે, ત્યારે તેનો પડછાયો પણ પડે છે, ખરું કે નહીં? જ્યારે સૂર્ય ઉગે છે અને સૂર્યપ્રકાશ થાય છે, ત્યારે બધી વસ્તુઓની પોતાની છાયા પડે છે કે નહીં? વાત નું પ્રતીકાત્મક નિરૂપણ કરવા માટે, છાયા દેવીને ભગવાન સૂર્યની પત્ની તરીકે દર્શાવ્યા છે.

ભગવાન ગણેશને જ્ઞાન અને ડહાપણના ભગવાન માનવામાં આવે છે. તેથી તેમની બન્ને બાજુ પર બે દેવીઓનું પ્રતિનિધિત્વ માત્ર તે દર્શાવવા માટે છે કે બંને રીદ્ધિ (બુદ્ધિ) અને સિદ્ધિ (ઉન્નત ક્ષમતાઓ) જ્ઞાન ની સાથે હોય છે. આપણે મૂળ અર્થને ભૂલી ગયા છીએ અને તેના બદલે ભગવાન ગણેશની બન્ને બાજુ પર ચોખા કે ફૂલો લઇને બેઠેલી બે મૂર્તિઓ રાખવાનું શરૂ કર્યું છે. જ્યારે તમે ઊંડા અર્થને સમજી શકતા નથી, ત્યારે તમે મૂર્ખ તો બનો જ છો અને સાથે તમને કોઈ સિધ્ધિ પણ નથી મળતી!
તમે પૂજાનું માહાત્મ્ય સમજ્યા વગર મૂર્તિઓની પૂજા કરો છો. હું તમને કહું - તેનો કોઈ જ ફાયદો નથી.

આદિ શંકરાચાર્ય કેટલું સુંદર કહે છે કે,
"આત્મ ત્વમ્‌ ગિરિજામતિઃ સહચર પ્રાણ શરીરમ્‌ ગ્રહમ્‌ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિઃ ॥ સંચાર પાદયોઃ પ્રદક્ષિણ વિધિ સ્તોત્ર‌મ્‌ સર્વગીરો યદ્યત્‌ કર્મ કરોમી તત્‌ તદ અખિલમ શંભો તવરાધાનમ્‌ ॥"
( આદિ શંકરાચાર્ય રચિત પરા પૂજા નો અંતિમ શ્લોક )


એનો અર્થ છે કે ભગવાન શિવ તમારો આત્મા છે, અને દેવી પાર્વતી તમારી બુદ્ધિ છે. પ્રાણ (સૂક્ષ્મ ઉર્જા જે જીવન નો આધાર છે) અથવા પંચ-પ્રાણ (પાંચ પ્રકારના પ્રાણ) તમારા શરીરમાં સતત ફરતા રહે છે. તમારું શરીર એક મંદિર છે જેમાં ભગવાન નો વાસ છે. આવું કહેવામાં આવ્યું છે. ભગવાન ગણેશ એક શક્તિ છે, તથા રિદ્ધિ અને સિદ્ધિ તે શક્તિ ની સાથે હોય છે.