Saturday, 31 December 2011

૨૦૧૨ નું વર્ષ આનંદનું વર્ષ છે

વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષ 'નંદ' કહેવાય છે, જેનો અર્થ આનંદ થાય છે. આ આનંદનું વર્ષ છે. ગયું વર્ષ સુનિશ્ચિતતા નું વર્ષ હતુ. એના પહેલાનું વર્ષ ગરબડ અને ગૂંચવણોનું વર્ષ હતુ.

પરંતુ હવે આગામી વર્ષ આનંદનું અને સુખ નું વર્ષ છે. તેથી આ વર્ષે આપણે સમાજમાં વધુ સુખ ફેલાવવાનું નક્કી કરવું જોઈએ.

તમે જુઓ જીવનમાં બધી વસ્તુઓ સુખને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. મનોરંજન ખુશ કરવા માટે હોય છે. રાજનીતિ લોકોને સુખી કરવા માટે. અર્થતંત્ર સુખ લાવવા માટે છે, જ્ઞાન સુખ લાવવા માટે છે. તમે કોઇપણ વિષય અથવા કોઈપણ રસ્તો લો, તે બધા સુખ લાવવા માટે હોય છે. અને ક્યાંક આપણો સમાજ આ વાત ભૂલી ગયો લાગે છે. લક્ષ્ય પર ધ્યાન રાખવાની જગ્યાએ, આપણે વચ્ચે ખોવાઈ ગયા છે. આપણે માનીએ છે કે સાધન જ સાધ્ય છે. આપણે માનીએ છે કે માર્ગ પોતે ઘર છે.

તમે autobahn (જર્મની નો સુપરફાસ્ટ હાઇવે) પર ગાડી ચલાવો છો છે, અને તમે ભૂલી ગયા છો કે તમે ક્યાંક જાઓ છો, તમે વિચારો છો કે આ ઘર છે અને ગાડી ચલાવ્યે રાખો છો. આવું બની રહ્યું છે.

આપણે માનીએ છે કે સંપત્તિ ધ્યેય છે, રાજકારણ ધ્યેય છે, મનોરંજન ઉદ્દેશ છે; અરે ના! આ બધા ફક્ત સુખ તરફ ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. હકીકતમાં સુખ બિનશરતી છે. આ બધી વસ્તુઓ હોવા છતા ધ્યેય ચૂકી જવાય અથવા કશુ ન હોવા છતાં ધ્યેય પર પહોંચી જવાય.

ગમે તે સંજોગોમાં તમે ખુશ રહી શકો છો, આ આધ્યાત્મિકતા છે.

જે થવું હોત તે થાય, દુનિયા ઊંધી છત્તી થાય, તમે ખુશ રહેવાનું નક્કી કરી શકો અને તમે ખુશ રહી શકો છો! તે બહુ રસપ્રદ વાત છે કે આજે વિશ્વમાં લોકો GDP (ગ્રૉસ ડોમેસ્ટીક પ્રોડક્ટ – અર્થતંત્ર નો વિકાસ માપવાનો એક માપદંડ) ની વાત કરે છે. તે GDH (ગ્રૉસ ડોમેસ્ટિક હેપ્પીનેસ – દેશનું કુલ સુખ) છે - GDP નહીં. મને લાગે છે કે ઈંગ્લેન્ડ, અમેરિકા અને યુરોપમાં બધે આ દ્રષ્ટિએ વાત શરૂ થઇ છે. બાંગ્લાદેશ અને ભૂટાન જેવા નાના અને ગરીબ દેશો માં લોકો વધારે સુખી છે (GDH નું સ્તર ઊંચુ છે), જ્યારે સ્કેન્ડીનેવીયા ના દેશો જેમાં બહુ ભૌતિક સુખ છે, ત્યાં GDH નું સ્તર નિચું છે. એનો શું મતલબ? આવુ કેમ બને છે? આવે વખતે આપણે વિશ્વને એક સંદેશ આપવાની અને તેમને જાણ કરવાની જરૂર છે, 'જાગો. ખુશ રહો!'

આપણે આધ્યાત્મિક જાગૃતિ અને માનવ મૂલ્યોના ઉત્થાન ની લહેર લાવવાની છે. માનવ મૂલ્યોનો અભાવ વિશ્વને માનવ સમાજ માંથી પ્રાણીય સામ્રાજ્યમાં ફેરવી નાખશે. અને તેને પ્રાણીય સામ્રાજ્ય કહેવાનું પણ યોગ્ય નથી કારણ કે પ્રાણીઓ પણ કેટલાક નિયમો પ્રમાણે જીવે છે અને તેમના પણ અમુક ધોરણો છે. જો તેની મૂળભૂત વૃત્તિ સંતોષાઇ હશે (જો તે ભૂખ્યા નથી) તો કોઈ સિંહ શિકાર માટે નહીં જાય. કોઈ પ્રાણી જંગલો ને પ્રદુષિત કરતું નથી. જંગલો લાખો વર્ષોથી અસ્તિત્વમાં છે પરંતુ તમને જંગલો માં પ્રદુષણ જોવા નહીં મળે. તેઓ બધું સાફ રાખે છે. એ માનવ સમાજ છે જે તેના લોભ અને ઉપભોકતાવાદ થી આખા વિશ્વને પ્રદુષિત કરે છે, તેને આવતી પેઢી માટે અયોગ્ય બનાવે છે. અહીયા આ વર્ષનું મહત્વ છે. લોકો માનવ મૂલ્યો, આધ્યાત્મિક મૂલ્યો અને પર્યાવરણના મૂલ્યો પ્રત્યે જાગ્રત થશે, અને આર્ટ ઓફ લિવિંગ ના સભ્યો તરીકે તમારે મુખ્ય ભૂમિકા ભજવવાની છે. તમે અગ્રેસર છો અને તમારે સમાજમાં આ જાગૃતિ ફેલાવવાની છે.

૨૦૧૧ ના વર્ષમાં આપણે ઘણા ઉતાર ચઢાવ જોયા છે. બધા દબાયેલા સમાજોમાં સરમુખ્યત્યારશાહી, હિંસા, અને ખાલી થોડા લોકોના સ્વાર્થીપણા સામે જાગૃતિ આવી. ૨૦૧૧માં આરબ વિશ્વમાં અને ઉતાર ચઢાવ અને ક્રાંતિ જોવા મળી. આપણને આશા છે કે આવનારું વર્ષ પીડીત લોકો ના જખમો પર મલમ લગાવશે. માત્ર શારીરિક નહીં, પરંતુ ભાવનાત્મક અને આધ્યાત્મિક પણ. તેથી આપણા બધાની આ જવાબદારી છે. આપણે બધાએ જાગવાનું છે અને તૂટેલા હૃદયોને સાંધવાના છે અને સમાજને આશા આપવાની છે. આર્ટ ઓફ લિવિંગનું ઘણા સમયથી તણાવ અને હિંસા મુક્ત સમાજ ની રચના કરવાનું સ્વપ્ન છે. આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છે અને અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. છેલ્લા થોડા વર્ષોમાં કોર્પોરેટ સેક્ટર અને સામાન્ય ક્ષેત્ર બંનેમાં સિદ્ધિઓ હાંસલ કરી તેનો ગર્વ છે. આપણે ઘણા કાર્યક્રમો આયોજિત કર્યા અને તેથી ઘણા લોકો માટે આશ્વાસન લાવ્યા પણ હજી આપણે ઘણું કામ કરવાનું છે. તેથી આપણે રાજીખુશી જે કરીએ છીએ તે કરવાનું ચાલુ રાખીશું. આજે આપણે ચાળીસ મિનિટ માટે ખૂબ જ સુંદર ધ્યાન કર્યું; સ્થિર અને ચિત્તાકર્ષક ધ્યાન. આખા વિશ્વમાંથી લોકો આ ધ્યાન માં જોડાયા અને મને ખાતરી છે કે આનાથી દુનિયામાં એક મોટો ફેરફાર આવશે.



પ્ર: ગુરુજી, દુનિયામાં બધે સારા લોકો અત્યારે પીડાય છે. લોકો જે જન્મમાં પાપ કરે ત્યારે જ શા માટે  સજા નથી ભોગવતા કે જ્યારે તેઓ તેમના પાપથી પરિચિત છે?

શ્રી શ્રી રવિ શંકર: મારી દ્રષ્ટિ એ જુઓ. મને કોઇ ખરાબ લોકો દેખાતા નથી. મને માત્ર બુદ્ધિશાળી અને અજ્ઞાની દેખાય છે. બુદ્ધિશાળી સત્યને પહેલાં ઓળખે છે. અજ્ઞાની ને થોડો લાંબો સમય લાગે છે અને તેઓ તેમની અજ્ઞાનતા ને કારણે પીડાય છે, તેમના સારાપણ ને કારણે નહીં. એ લોકો મૂર્ખ છે જે સત્ય જોતા નથી; વાસ્તવિકતા જોતા નથી.

પ્ર: ડિઅરેસ્ટ ગુરુજી, આ પાથ પર ચાલનાર અમને મોટાભાગના લોકોને પ્રબુદ્ધ બનવાની ઉત્કંઠા છે. અને તમારા માર્ગદર્શન થી અમે આખરે આવું કરી શકશું. પછી આ બધી માથાકૂટ ની શા માટે જરૂર? તમે હમણાં જ અમને પ્રબુદ્ધ કેમ નથી બનાવતા?

શ્રી શ્રી રવિ શંકર: અરે આવો, આપણે થોડી મોજ મસ્તી કરીએ! મને હંમેશા કંઈક મસાલેદાર ભાવે છે, સાદો ખોરાક નથી ભાવતો. તેથી, થોડી અહીં અને થોડો ત્યાં મસાલો તે રમતને વધુ રસપ્રદ બનાવે છે.

પ્ર: ગુરુજી, મનુષ્ય ને ગત જન્મ નું કશું યાદ નથી હોતુ. ઇશ્વર સંકલ્પ કે જેણે આ બ્રહ્માંડ બનાવ્યું તે આત્મા ને પરમાત્મા સાથે મિલન થયા પછી પણ પુનઃ જન્મ કરાવી શકે છે. પછી જ્ઞાની આ જન્મમાં મૃત્યુના સાગર ને પાર કરવાની કેમ ઇચ્છા રાખે છે?

શ્રી શ્રી રવિ શંકર: સાંભળો, તે કુદરતી છે. તમે એક ઊંડો શ્વાસ લો પછી માત્ર કુદરતી છે કે તમે શ્વાસ બહાર કાઢવા માંગો છો. જો તમે ચુસ્ત મુઠ્ઠી બાંધી હશે તો તમે કુદરતી રીતે તેને ખોલવા માંગો છો. જ્યારે તમારા હાથ ખુલ્લા હોય, ત્યારે તમે કુદરતી રીતે તેને ફરીથી મુઠ્ઠીમાં બંધ કરવા માંગો છો. તેથી મુક્તિ ની ઇચ્છા શ્વાસ બહાર કાઢવાની ઇચ્છા જેમ કુદરતી છે. ધારો કે તમે કોઈપણ સંવેદનાત્મક ક્રિયાઓમાની એક કરો છો જેમ કે ખાઓ છો. અમુક સમય પછી તમે કહેશો, 'મારે વધુ નથી જોઇતુ' અને તમે ખાવાનું બંધ કરો છો. એ જ રીતે જો તમે સતત કંઈક જોઇ રહ્યા છો, તો અમુક સમયે કહેશો, 'હું મારી આંખો બંધ કરવા માંગુ છુ.' ધારો કે તમે દસ કલાક સંગીત સાંભળો, તો તમે અગિયારમા કલાકે કહેશો, 'હવે સંગીત બંધ કરો. મને થોડી શાંતિ ગમશે.' તમને શાંતિ નો આનંદ માણો છો. તમે આ અવલોકન કર્યું છે? ગમે તેટલું સરસ સંગીત હોય અમુક સમય પછી તમે તેને રોકવા માંગો છો. એ જ રીતે, તમે સ્પર્શ નો આનંદ માણો છો પરંતુ કેટલા સમય સુધી? ક્યારેક તમે કહેશો, 'હું એકલો રહેવા માંગુ છુ.' તેથી સ્પર્શ, સ્વાદ, સુગંધ કે દૃષ્ટિ ની ભાવના હોય, અમુક સમયે તમે તેનાથી દૂર રહેવા માંગો છો. તમે તેમાં કાયમ રચ્યાપચ્યા નથી રહી શકતા. તમે સામેની બાજુ જઇને આરામ કરવા માંગો છો. જો તમે સતત સક્રિય હો, તો તમે અમુક સમયે કહો છો, 'હું આરામ કરવા માંગુ છુ.' આ જ મોક્ષ છે. મોક્ષ નો અર્થ વિશ્વમાં સંલગ્ન થવામાંથી સ્વતંત્રતા, પ્રવૃત્તિમાંથી સ્વતંત્રતા, ઉપભોગ અને સંવેદનાત્મક આનંદ માંથી સ્વતંત્રતા થાય છે. બધા માંથી સ્વતંત્રતા, આ કુદરતી છે.

તે સહજ છે. ક્યારેક તો તમે મુક્તિ મેળવવા માંગો છો. અને ધ્યાન તમને તે સ્વતંત્રતા આપે છે; આ સર્વાધિક વાંછિત સ્વતંત્રતા.

પ્ર: ડિયર ગુરુજી, કેટલી હદ સુધી પૈસાનું અગત્ય  છે? જો તમે વધુ પૈસા કમાવાની ક્ષમતા હોવા છતા ન કમાઓ તો તે એક ભૂલ છે?

શ્રી શ્રી રવિ શંકર: તે તમારા ઉપર આધાર છે. પૈસા જરૂરી છે પરંતુ તે ખિસ્સામાં રહેવા જોઇએ અને દિમાગ માં ન પહોંચી જવા જોઈએ. નહિંતર કોઇ રકમ અપૂરતી છે. આજે અમેરિકા જેનું ચલણ સમગ્ર વિશ્વમાં માન્ય છે તે અબજો ડોલર ના ઊંડા દેવામાં છે. તમે અમેરિકાને આજે શું કહેશો, સમૃદ્ધ દેશ અથવા એક ગરીબ દેશ? તમે તેમને શું કહેશો? હું કહીશ કે તમે પૈસા કમાઓ પરંતુ તેને ધ્યેય ન બનાવો. પૈસા કમાઓ પરંતુ તમારા આરોગ્ય ના ખર્ચે નહિં અને તમારા સુખ ની કિંમતે નહીં કારણ કે તમે તમારા આરોગ્ય ને ખર્ચીને સંપત્તિ મેળવશો અને પછી તમારી અડધી સંપત્તિ ગુમાવેલું સ્વાસ્થ્ય પાછું મેળવવા ખર્ચશો, જે ખરેખર તો બનતું નથી. તેથી હું કહીશ, જીવનમાં સંતુલન રાખો.

પૈસા કમાઓ, પરંતુ તે જ સમયે તેના વિષે ચિંતાતુર ન થાઓ. સમાજ સેવા કરતા સુખી જીવન જીવો. તે તમને માત્ર એક મોટા બેંક બેલેન્સ કરતાં વધુ સંતોષ આપે છે.

પ્ર: ગુરુજી, આપણે ૧૫૧ દેશોમાં હવે છીએ, પરંતુ આગળ શું?

શ્રી શ્રી રવિ શંકર: હું તમારી દૂરંદ્રષ્ટિ પર છોડી દઉં છુ. આપણે આર્ટ ઓફ લિવિંગ ના ૩૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આપણે ૨૦૧૧ માં આ માટે ઉજવણી શરૂ કરી હતી, જે ૨૦૧૨ માં ચાલુ રહેશે. અને જીવન ને ઉત્સવ બનાવવો એ આપણો મુદ્રાલેખ છે. દુનિયામાં આપણે ઘણા ભાગોમાં નથી પહોંચ્યા, તે ભાગો સુધી આપણે પહોંચવુ જોઈએ. અને યુરોપમાં પણ આપણે ઉત્સવ અને ખુશીની એક લહેર લાવશું. બાકીનું હું તમારા પર છોડી દઇશ. તમે બધા તમારા પોતાના વિચાર અને દ્રષ્ટિ થી જુઓ કે તમારે શું હાંસલ કરવું છે અને તમે શું કરવા માંગો છે. વ્યક્તિગત જરૂરીયાતો બાજુએ મુકીને વૈશ્વિક કલ્યાણ માટે વિચારો. જ્યારે તમે વિશ્વ, સમાજ અને દરેકના માટે કંઈક મોટું કાર્ય કરવા તૈયાર હશો તો તમારી જરૂરિયાતો ની હંમેશા કાળજી લેવાશે. તમને ક્યારેય અભાવ નહિં નડે. જો તમે માત્ર તમારી જાત વિષે વિચારશો, તો તેમાં કોઈ આનંદ અથવા સુખ નથી. એક જૂની સંસ્કૃત કહેવત છે, 'નાની વસ્તુઓમાં કોઈ આનંદ નથી. જે મોટી અને ભવ્ય છે ફક્ત તે તમને સુખ આપી શકે છે.' તેથી વિશ્વ માટે, સમાજ માટે અને આર્ટ ઓફ લિવિંગ માટે એક મોટી દ્રષ્ટિ રાખો. તમારી રોજીંદિ જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવશે. તમે જે કરવા માંગો છો તે સાચુ બની રહ્યુ છે. તમને બધા આશીર્વાદ મળી રહ્યા છે. તેથી ઉર્જાન્વિત બનો આળસુ નહીં. એવું ના કહેતા, 'ઓહ! ગુરુજી એ જણાવ્યું હતું કે કેન્દ્રિત બનો, બીજુ બધું ભૂલી જાઓ, તે તમામની કાળજી લેવામાં આવશે.' ના! પ્રમાદી ન બનો. ગતિશીલ રહો અને કેન્દ્રિત રહો. આ ખૂબ જ મહત્વનું સંયોજન છે.

પ્ર: ગુરુજી, આ વર્ષે તમારો યુવાનો માટે શું સંદેશ છે?

શ્રી શ્રી રવિ શંકર: યુવાનો વધુ યુવા બની રહ્યા છે અને સમય હંમેશા યુવાન લોકો સાથે હોય છે. દરેક મિનિટ તેમની છે. તેથી જો તમને લાગે કે તમે તમારા મન થી જુવાન છો, તો પછી આખું વર્ષ તમારુ છે. યુવા વય માત્ર શરીરની નહીં પરંતુ મનની છે, તે યાદ રાખો. અહીં લોકો ના મન જુઓ; તે બીજા કોઇ પણ યુવાનો કરતાં વધુ યુવાન છે.

૨૦૧૧ માં જુઓ, તમે ભૂતકાળ માંથી શું શિખ્યા. ગયા વર્ષમાં તમારી આંખો ખૂલી ગઇ કે ઘણી ભૂલો તમે કરી છે. તેનો અફસોસ ન કરો કારણ કે તમે દર ભૂલમાંથી કશુક શીખ્યા છો, પરંતુ હવે તે ભૂલો નું  પુનરાવર્તન ન કરશો. તમે અન્ય લોકો ની ભૂલોમાંથી પણ શીખ્યા છો. જુઓ તેમના જીવન સાથે શું થાય છે. સામાન્ય રીતે આપણે ખોટી વસ્તુઓ કરનાર લોકો સામે નારાજ થઇએ કે ગુસ્સો કરીએ છીએ. હું કહીશ કે તમારે તેમ ન કરવું જોઈએ; તમારે તેમનો આભાર માનવાનો છે કારણ કે તેઓ પડે છે અને તેમના પોતાના ખર્ચે તમને બોધપાઠ આપે છે. તેઓ ભૂલ કરીને તમને શીખવે છે, 'જુઓ હું શું ભૂલ કરુ છુ, તમે તે ન કરશો.' તેથી તેમનો આભાર માનો અને આગળ વધો!

ધારો કે તમે મૃત્યુ પામીને અન્ય જગ્યાએ જન્મો છો, તો તમારું જીવન કેવું હશે? તે સાવ નવું હશે. ધારો કે તમે ફરીથી કોરિયામાં જન્મો છો. એક બાળકના માટે બધું નવુ છે; વિવિધ લોકો, વિવિધ ભાષાઓ, બધું નવુ અને રસપ્રદ છે. આધ્યાત્મિક માર્ગ પર ચાલનારે દરેક ક્ષણે મૃત્યુ પામવુ જોઈએ. ભૂતકાળ ને દફનાવી દો! તમે મૃત છો, બધું ચાલ્યુ ગયુ, આગળ શું? વર્તમાન ક્ષણ! ભૂતકાળ વિશે ફરીયાદ ન કરો. 'મેં ભૂલ કરી', અથવા 'તેમણે તે ભૂલ કરી.' બધાનું પોટકું બનાવીને નજીકના દરિયા માં પધરાવી આવો. પછી જાગો ઊભા થાઓ અને નવી આંખો અને તાજગી ભર્યા મન સાથે વિશ્વને જુઓ; બધું નવું, દરેક વ્યક્તિ નવી.

જીવન ચાલ્યા કરે છે! અને આવું ઘણી વખત બન્યું છે. તમે ઘણી વખત મૃત્યુ પામ્યા છો અને ઘણી વાર જન્મ્યા છો. જો તમે દરેક ક્ષણે મૃત્યુ પામો અને દરેક ક્ષણે જન્મો તો તે પ્રબુધ્ધ્તા છે અને તે સુખ છે. વર્તમાન ક્ષણમાં જીવો! નવું જીવન, બધો ભૂતકાળ ગયો ...હમણાં! વર્તમાન ક્ષણમાં સો પ્રતિશત જીવો, જીવનના પડકારો ઝીલો અને આગળ વધતા રહો. વિચારો કે તમે દરેકને કઇ રીતે ઉપયોગી થઇ શકો. ફક્ત આ વિચાર સાથે ચાલતા રહો! આને કહેવાય મન નો નાશ કરવો. મનનો નાશ કરીને પ્રકાશ તરફ ચાલવા માંડો. જો તમે મનને મારશો તો તમે ખ્યાલ આવશે કે તમે જ પ્રકાશ છો. મન શું છે? સંસ્કાર, ભૂતકાળની છાપ, ખેદ નારાજગી, જાત પર ગુસ્સો, અન્ય પર ગુસ્સો વગેરે.

આ વિષચક્ર છે. એ મનને છોડી દો અને દરેક ક્ષણે મૃત્યુ પામો. હવે મને પુછશો નહીં, 'પછી હું મારા રૂમ નો નંબર ભૂલી જઇશ તો', એવું નથી! જ્યારે તમે આમ કરશો તો યાદશક્તિ વધુ તિવ્ર બનશે.


જ્યારે તમે દરેક ક્ષણે જન્મો અને દરેક ક્ષણે મૃત્યુ પામો, તમારી યાદશક્તિ એટલી તિવ્ર બનશે કે તમે ક્યારેય મૃત્યુ નહીં પામો અને ક્યારેય નહીં જન્મો. તમારા આત્માને સાક્ષાત્કાર થશે કે જીવન શાશ્વત છે અને પાંચ દસ હજાર વર્ષ પહેલાની, દર વખતે તમે આ પૃથ્વી પર આવ્યા ત્યારની તમામ સ્મૃતિઓ યાદ આવી જશે. તેમની કોઈ જરૂર નહીં પડે, પરંતુ હું કહુ છું કે તમે સંપૂર્ણ બેન્ડવિડ્થ વાળા આ આંતરિક નેટ જોડાણ મારફતે તેના સુધી પહોંચી શકશો.

Wednesday, 28 December 2011

એક દિવસ મૃત્યુ તમારી પાસેથી બધું લૂંટીને લઈ જશે

જર્મની, ૨૮ મી ડિસેમ્બર ૨૦૧૧

પ્ર: પ્રિય ગુરુજી, જ્ઞાનના અભાવને કારણે મેં મારી જાતને ઘણી વખત નુકસાન પહોંચાડ્યુ છે. હું વધુ સુધર્યો નથી પરંતુ હું જોઈ શકુ છું કે મેં શું કર્યુ છે. હું મારી જાતને પીડા આપવાનું કેવી રીતે બંધ કરું?

શ્રી શ્રી રવિશંકર: જ્યારે તમે જાણો છો કે તમે જે ભૂતકાળમાં કર્યુ તે યોગ્ય ન હતું, તો પછી તમને હવે ખબરજ છે કે શું કરવું જોઈએ. આધ્યાત્મિક માર્ગ તમને સમર્થ બનાવે છે. પરંતુ જો તમે કહેશો કે, 'ઓહ! હું આ નહીં કરી શકુ, તો પછી તમે તે નહીં કરી શકો. જો તમે એવો વિચાર કરો કે, 'હા, હું કરી શકીશ!' તો પછી તમે કરી શકશો. મેં લોકોને કહેતા સાંભળ્યા છે, 'હું ધૂમ્રપાન નહીં છોડી શકું.' જો તમે ધુમ્રપાન ન છોડી શકો તો પછી વિશ્વમાં કોઇ તમને ધૂમ્રપાન નહીં છોડાવી શકે. તમારે સજાગ થઈ કહેવું જોઇએ કે, 'હા, હું ધૂમ્રપાન છોડી દઈશ.' કુદરતે દરેક મનુષ્યને આવી સંકલ્પશક્તિ આપી છે કે જેઓ વિચારી શકે છે અને કામ કરી શકે છે. તે બધામાં હાજર છે. આ એવું છે કે તમે તમારી આંખો બંધ રાખો છો અને કહો છો કે, 'હું જોઈ શકતો નથી, હું જોઈ શકતો નથી.' તમે પહેલા આંખો તો ખોલો! તમે કહો છો, 'હું મારી આંખો ખોલી શકતો નથી.' જો તમે તમારી આંખો ન ખોલી શકો અથવા આંખો ખોલો નહીં, તો તમે કેવી રીતે જોશો? જો તમે કહો કે, 'હું ભૂખ્યો છું પણ મોં ખોલીશ નહીં.' કુદરતે તમને મોં આપ્યુ છે અને તે પોલું અને ખાલી છે, અને પ્રકૃતિએ તમને ખોરાક આપ્યો છે. આ બે વસ્તુઓને તમારે સાથે જોડાવાની છે. ખોરાક તમારી સામે છે અને તમે કહેશો, 'હું મારુ મોં નહીં ખોલુ.' આ કહેવા પણ તમારે મોં ખોલવુ પડશે. તો સંકલ્પશક્તિ દરેકમાં છે. તમારે કહેવાનું છે, 'હા હું કરી શકુ છું; હું કરીશ.' જો તમને ધૂમ્રપાનની ખરાબ ટેવ હોય તો કહો, 'હા, હું છોડી શકુ છું. હું તે છોડી દઈશ.' કારણ કે એ એક જ વિચાર, 'હું ધૂમ્રપાન નહીં છોડી શકું', તમને ધૂમ્રપાન કરવાની સત્તા આપે છે.

પ્ર: પ્રિય ગુરુજી, એડવાન્સ કોર્સમાંથી બહાર નિકળતા કેટલાક લોકોને લડાઈ કરતા અને એકબીજાના દોષ કાઢતા જોયા છે ત્યારે મને ખૂબ આશ્ચર્ય થાય છે. આવું શા માટે થાય છેકોર્સ કર્યા પછી પણ સંદેશ શા માટે પહોંચતો નથી?

શ્રી શ્રી રવિશંકર: હવે જુઓ, લડાઈ કરવાની લાંબા સમયની આદત, અને લડાઈ માણવાની આદત જતા થોડો સમય લાગે છે. થોડા એવા લોકો છે જેમનું વર્તન રાતોરાત બદલી શકાતું નથી,અથવા અઠવાડિયા કે મહિનાઓમાં પણ બદલી શકાતું નથી. તેમને થોડો સમય તો લાગશે, પણ તેઓ બદલવા માટે તૈયાર હોય તો. તમારે લોકો માટે અભિપ્રાય બાંધવો નહીં, 'ઓહ! તેમણે આવીને મૌન કાર્યક્રમમાં ભાગ લીધો, એડ્વાન્સ કોર્સ કર્યો અને હજુ પણ તેઓ બદલાયા નથી! ' આ અશક્ય છે, ચોક્કસપણે તેઓ બદલાયેલ છે, પરંતુ તે સંપૂર્ણપણે તેમના વ્યવહારમાં હજી આવ્યું નથી. તેમને પૂછો 'તમને કેવુ લાગે છે; પહેલાં પણ તમે લડતા હતા અને હવે પણ તમે લડો છો. શું તમને ગુણાત્મક તફાવત લાગે છે? ' તમને હકારાત્મકમાં જવાબ મળશે. તેઓ કહેશે, 'હા! પહેલાં હું લડતો ત્યારે ક્રોધ અને તેની છાપ લાંબા સમય સુધી મારા મનમાં રહેતી. હવે, હું લડાઈ કરીને ભૂલી જાઉ છું અને આગળ વધુ છું' આ ઘણા લોકોએ કહ્યું છે. આ તમને (કોર્સ)પહેલા કે પછી લોકો જેવા છે તેવા સ્વીકારવાની તક આપે છે.

પ્ર: પ્રિય ગુરુજી, આ પ્રશ્નના બે ભાગ છે. પ્રથમ ભાગ છે: મન અને આત્માની વચ્ચે જોડાણ શું છે? ધ્યાન એ માત્ર વિચારોનો સંગ્રહ છે?

શ્રી શ્રી રવિશંકર: સાચું છે. તમે બરાબર સમજ્યા.

પ્ર: વિચારો સૌ પ્રથમ ક્યાંથી ઉત્પન્ન થાય છે?

શ્રી શ્રી રવિશંકર: આ તમારે શોધવાનું છે. આ વ્યક્તિગત શોધ છે. આ તો જાણે તમે મને પૂછો છો કે ખોરાકનો સ્વાદ કેવો છે. જો તમે કોઈને પૂછો, ' આ વાનગી કેટલી મીઠી છે?', તમારેજ તેનો સ્વાદ ચાખવો પડશે. તેથી, જો તમે જાણવા માંગતા હો કે વિચારો ક્યાંથી ઉદ્દભવે છે, તો તમેજ તે શોધો એ વધારે સારું છે. વિચારો તમને આવે છે? તો તમેજ તેને શોધી શકો છો. આ શોધવાની પ્રક્રિયા એ અન્ય સ્તરના અસ્તિત્વને સમજવાની રીત છે.

પ્ર: પ્રિય ગુરુજી, હું ક્યારેક મારા મિત્રોને હતાશ અવસ્થામાં જોઉ છુ. તેઓ આર્ટ ઓફ લિવિંગ, ધ્યાન અથવા પ્રાણાયમ માં માનતા નથી. શું હું તેમની પીડા લઈ તમને આપી દઈ શકું? તે શક્ય છે? મને ખબર છે તમે સમસ્યાઓ ઉકેલવા માં ઉસ્તાદ છો.

શ્રી શ્રી રવિશંકર: હા. પણ તમે તેમને ધ્યાન કરવાની પ્રેરણા મળે તેવી પ્રાર્થના શા માટે નથી કરતા? તમે તેમ કરી શકો છો. તમે તેમના દુઃખ અને વેદનાને આશીર્વાદ આપીને (બ્લેસ કરીને) મુક્ત કરી શકો છો, પરંતુ તે કાયમી ઉકેલ નથી કારણ કે તેઓ ફરીથી પાછા તે અવસ્થામાં આવી શકે છે. પરંતુ જો તમે તેમનામાં શાણપણ આવે તે માટે પ્રાર્થના કરો, તો પછી તે કાયમી છે. કારણ કે શાણપણ તેમના બાકીના જીવનની કાળજી લેશે.

પ્ર: પ્રિય ગુરુજી, આધ્યાત્મિકમાર્ગ પર હું આગળ વધુ છું તે જાણવાની શું નિશાનીઓ છે? મેં મારો પ્રથમ કોર્સ ૧૦ વર્ષ પહેલા કર્યો હતો. મેં ૧૦ એડ્વાન્સ કોર્સ કર્યા છે અને હું એક શિક્ષક છું. આમ છતાં, હું હજુ પણ ગુસ્સે થાઉ છુ. ક્યારેક મને લાગે છે અમુક લોકો જે કોઇ સાધના નથી કરતા તેમનો વ્યવહાર મારી સરખામણીમાં સારો છે. માર્ગદર્શન આપો.

શ્રી શ્રી રવિશંકર: તમે બધુ ખોટું સમજ્યા છો. તમને લાગે છે કે માત્ર ધ્યાન તમારા માટે બધું કરી દેશે. તમે ધ્યાનને માત્ર માણો છો. જો તમે જ્ઞાનમાં ઊંડે ડુબેલા હો તો તમે અસ્વસ્થ શા માટે થાઓ?

તમે માનો છો કે થોડા સમય માટે શાંત રહેવાથી બધું થઈ જશે, અને તમે જ્ઞાન અને ડહાપણ ભૂલી જાઓ છો. જ્ઞાન તમારા ચહેરાને તાકી કહી રહ્યુ છે કે, 'પરિસ્થિતિઓ અને લોકોને જેવા છે તેવા સ્વીકારો ' અને તમે તેમ કરતા નથી. મેં ઘણી વખત કહ્યું છે કે, ગુસ્સો એ પૂર્ણતાના લગાવની નિશાની છે. જો તમે અલિપ્ત હો, તો તમે  અસ્વસ્થ શા માટે થાઓ?

સાંભળો, તમે ભલે દસ એડ્વાન્સ કોર્સ કર્યા હોય અને વાતો સાંભળી હોય, પરંતુ જો તમે તેને જીવનમાં ઉતારશો નહીં તો કોર્સ, ધ્યાન અથવા જ્ઞાન અથવા શાણપણ ની ખામી નથી. તે એક રબરના પોશાક જેવુ છે કે જે ડાઇવર (ડૂબકી લગાવનાર) સમુદ્રમાં જાય ત્યારે પહેરે છે. તમે પાણી માં જાઓ છો, પરંતુ જ્યારે તમે બહાર આવો ત્યારે સૂકા હો છો. પાણીનું એક ટીપું પણ તમારા શરીરમાં પ્રવેશતુ નથી કારણ કે તમે તે રબરના પોશાકની અંદર છો. એ જ રીતે, તમે દસ કે બાર એડવાન્સ કોર્સ કર્યા હોય, પરંતુ જો તમે ઘણી વખત સાંભળ્યા પછી પણ અલિપ્ત નહીં થાવ, તો તમને ગુસ્સો આવવાનોજ. વિવેકબુધ્ધિ અને વૈરાગ્ય; જ્ઞાનનો બીજો સ્તંભ છે. જો તે નહીં હોય, તો પછી તમે ગુસ્સો કરશો અને અસ્વસ્થ થશો, તમે પઝેસીવ(સંબંધ કે માલિકી ટકાવવા આતુર) થશો અને ઇર્ષ્યા કરશો. વિતરાગતા નહીં હોય. મે ઘણી વખત કહ્યું છે 'સો હમ, અને સો વોટ (તેથી શું)!' તમે ‘સો વોટ’ સાંભળ્યુંજ નથી. ઘણી વખત તમે તેને હળવાશથી લો છો. 'ઓહ! સો વોટ, આ તો મેં સાંભળ્યું છે, ઠીક છે.' અત્યારે તમે બેસીને ધ્યાન કરશો, અને પછી તમે પાછા જને ક્યારેય યાદ નહીં કરો. તેને યાદ કરો, અને ઊંડે ઉતરવા દો. શાણપણની વાતોને દોષ આપવા જેવો નથી, તમે તેને જીવવા અસમર્થ છો,તેને આત્મામાં ઉતારવા અસમર્થ છો.

તમે સમજો છો હું શું કહુ છું? તમે એમ ન કહી શકો કે, ‘આ બધા બંધનો છતા હું આધ્યાત્મિક જીવન જીવીશ.' ના! આધ્યાત્મિકતા એટલે સંપૂર્ણતાના આગ્રહમાંથી મુક્ત થવું. આધ્યાત્મિકતા એટલે કેન્દ્રિત રહેવુ. દસ એડવાન્સ કોર્સ કર્યા હોવા છતા તમે ગુસ્સે થાવ છો, કલ્પના કરો જો તમે કોઈપણ એડવાન્સ કોર્સ ન કર્યો હોત તો તમારી શું સ્થિતિ હોત. માય ડિયર, કૃપા કરીને એ તો જુઓ!

જો એડવાન્સ કોર્સ અસરકારક નથી તો તમે પાછા ફરીને શા માટે આવો છો? તમે એક કોર્સ કરીને કહી શક્યા હોત કે આ કામ નથી કરતુ. ખલાસ! જો તમે વારંવાર પાછા આવો છો તો પછી તે ક્યાંક ને ક્યાંક તો કામ કરતુ હશે. તમને તેનાથી લાભ થતો હોવો જોઈએ. અને કલ્પના કરો કે જો તમે એક પણ કોર્સ ન કર્યો હોત તો, કેવી પાયમાલી થાત. તમારે બેસીને આ વિશે વિચાર કરવો જોઈએ. 'ધારો કે, મે બેસિક કોર્સ અથવા ધ્યાન ક્યારેય ન કર્યું હોત, તો મારી શું પરિસ્થિતિ થાત?'

પ્ર: લાગણી શું છે?

શ્રી શ્રી રવિશંકર: તમને થાય છે? બરાબર તેજ આ છે.

પ્ર: પ્રિય ગુરુજી, મને એક પ્રશ્ન છે જે મારા મગજમાં આવ્યા કરે છે. આપણે આકાશગંગામમાં છીએ. આવા ઘણા તારામંડળ છે. શું લોકો ત્યાં વસવાટ કરે છે? આમાના કોઈપણ નક્ષત્રમાંજન્મવાની કોઈ શક્યતાઓ છે? શું તમે આ વિશે તમારો અનુભવ કહેશો?

શ્રી શ્રી રવિશંકર: મને ખબર છે કે ઘણા તારામંડળો છે, પરંતુ મને તેમના વિશે ખૂબ જ ઓછી ખબર છે. તેની એક ઝલક મેળવી શકીએ છીએ, પરંતુ તે સાબિત નથી કરી શકતા. જો તમે મને કહો કે તમને સાબિત કરી બતાવુ, તો હું સાબિત નહીં કરી શકુ. પરંતુ, હું તમને કહી શકુ છુ કે ઘણા તારામંડળો છે, ત્યાં જીવન છે. આટલું થોડુકજ હું જાણુ છું. જે વસ્તુઓ વિશે હું ન જાણતો હોઉ કે ઓછુ જાણતો હોઉ તે વિશે બોલવાની મને આદત નથી. તેથી, 'મને બહુ ઓછી ખબર છે.' તે શ્રેણી હેઠળ આવે છે.

પ્ર: પ્રિય ગુરુજી, જીવનમાં વધારે આત્મવિશ્વાસનો અનુભવ કેવી રીતે કરવો?

શ્રી શ્રી રવિશંકર: કેવી રીતે જીવનમાં વધુ આત્મવિશ્વાસ મેળવવો? કોઈ માર્ગ નથી!  તેને મેળવવા માટે કોઈ રસ્તો નથી, જો તમારામાં તે નથી, તો નથી! જો સસલાને શિંગડાની ઇચ્છા છે, તો હું કહીશ તે શક્ય નથી. જો તમને લાગે કે તમારે કાળિયાર જેવા શિંગડા જોઈએ છે,તો તમે માત્ર ક્રિસમસ સમય દરમ્યાનજ તે ટોપીઓ માથા પર મૂકી શકો છો. પરંતુ જો તે તમારી પાસે નહીં હોય, તો કોઈ રસ્તો નથી! પરંતુ, જો તમે મને કાળજીપૂર્વક સાંભળશો;, હું તમને કહીશ, તમને ખબર હોવી જોઇએ કે તે તમારી પાસે છે. તમારી પાસે છે જ. કોણે કહ્યુ તમારી પાસે નથી.

પહેલા, તમારી જાત વિશે તમારી અજ્ઞાનતાનો સ્વીકાર કરો. પ્રથમ સ્વીકારો કે તમે તમારી જાત વિશે કશું નથી જાણતા. અને પછી તમને ખ્યાલ આવશે કે તમારા માં આત્મવિશ્વાસ છે.

પ્ર: વિચાર પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે? અમારી જરૂરિયાત કેવી રીતે પૂર્ણ કરી શકાય?

શ્રી શ્રી રવિશંકર: વિચારો આવે છે, અને અમુકને તમે પ્રોત્સાહન આપો છો, અને અમુકને પ્રોત્સાહન આપતા નથી. જ્યારે તમે અમુકને પ્રોત્સાહન આપી અને તેના પર કાર્ય કરો તો, પરિણામ આવે છે. જો તમે હમણાં નિષ્ક્રિય રહી બેસીને ફક્ત વિચાર કરશો અને તેના પર કાર્ય કરશો નહીં તો, શ્રેષ્ઠ વિચારો પણ  ફળદાયી નહીં બને.

પ્ર: શું તમે કૃપા કરી 'યોગ માયા' અને આધ્યાત્મિકતા પર તેની અસર વિશે સમજાવશો. તેમજ, તેને કેવી રીતે ઓળખી શકાય અને તેના ખેલ માંથી કેવી રીતે બચી શકાય?

શ્રી શ્રી રવિશંકર: યોગ માયા અમુક આધ્યાત્મિક અનુભવો છે જે તમને ક્યારેક થાય છે અને તે અંતઃપ્રજ્ઞા વાળી પ્રકૃતિના હોય છે. અને મોટા ભાગે તે સાચા પડે છે. પરંતુ, જ્યારે તમે તેમના પર ખૂબ વધારે આધાર રાખવાનું શરૂ કરો; હું ઉમેરુ છું 'ખૂબ વધારે'; તો પછી સમગ્ર બાબત વિરૂપકારક થવાની શરૂઆત થશે. અને જો તમે ખરેખર અંદરથી ખાલી અને પોલાણવાળા નહીં હો તો તમારી પોતાની ઇચ્છાઓ, તમારી પોતાની મહત્વાકાંક્ષા તમારી દ્રષ્ટિ અને તમારા સપનામાં આવે છે, અને તમને અવાજો સાંભળાય, અને આ તમામ વસ્તુઓ થઇ શકે છે, અને તે વાસ્તવિકતાને વિકૃત કરી શકે છે.

તો, યોગ માયા એ એવી નાની સિધ્ધીઓ, એવા નાના દ્ર્શ્યો, આશંકાઓ,બોધ અને સાહજિક દ્ર્શ્યો છે, જે ૮૦% સાચા છે અને ૨૦% સાચા નથી. પરંતુ, તમને ખબર નથી કે તે ૨૦% અથવા ૮૦% મા આવે છે. તેથી, આપણે ફક્ત આ અનુભવો જેમ આવે તેમ લઇએ છીએ.

પ્ર: આ વિધાન કેટલું સાચું છે કે બાળકો જન્મ લેતા પહેલાં તેમના માતાપિતાને પસંદ કરે છે. શું માતા-પિતા એવા બાળકો માટે પ્રાર્થના કરી શકે કે, જેઓ પોતાને માટે એક સારું જીવન પસંદ કરે?

શ્રી શ્રી રવિશંકર: સાંભળો, તમે મને ન પૂછી શકો કે તમારે શેના માટે પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના આપોઆપ થાય છે. તે ત્યાં પહેલેથી જ છે! તમે પહેલેથી જ સારા બાળકો માટે પ્રાર્થના કરો છો. માતા - પિતા એ સારા બાળકો માટે પ્રાર્થના કરવી જોઇએ એ એક કાલગ્રસ્ત પ્રશ્ન છે. તેનો કંઈ પણ અર્થ નથી. તમે પહેલેથી જ પ્રાર્થના કરો છો તેથીજ તમે પૂછતા હતા.

પ્ર: એક વ્યક્તિ તેનો ધ્યેય આસપાસના વાતાવરણને ધ્યાનમાં રાખ્યા વગર કેવી રીતે નક્કી કરી શકે?

શ્રી શ્રી રવિશંકરઃ થોડા સમય માટે, માત્ર બેસો અને વિચારો. અન્ય તમામ વસ્તુઓ કોરે રાખો. જુઓ, કે તમે શું કરવા માંગો છો? તમારી જાતને પૂછો, 'મારે શું કરવું છે?' અને પછી જે પણ ધ્યેય આવે છે, તે પકડી રાખો. અલબત્ત, જ્યારે તમે એક દ્રષ્ટિ, એક ધ્યેય, એક હેતુ ઉપાડવા માંગો, તો આસપાસના વાતાવરણની મોટી અસર હોય છે. તમે એક મિશન પર છો,અને તમે કામ કરો છો. અચાનક કંઈક બને, એક તમારા પ્રિયજનની તબિયત બગડે અથવા બીમાર પડે, અથવા કોઈકનો અકસ્માત થાય; ત્યાં તમારે ખૂબ જ સરળ બનવુ જરૂરી છે. તમે એમ ન કહી શકો, 'મારુ આ લક્ષ્ય છે, મારે જવુ પડશે',ના! તમારી અહીં હાજરી જરૂરી છે, કારણ કે જીવન જટિલ છે, તે સીધેસીધું નથી. જીવન ખૂબ જટિલ  છે, અને જીવનની આ જટિલતામાં  એક ધ્યેય પૂરો કરવો એજ દ્રઢનિશ્ચય છે. અને જો જીવનમાં ભક્તિ અને શાણપણ હશે તો તમે તે આરામથી કરી શકશો. શાણપણ અને ભક્તિ બે મહત્વપૂર્ણ વસ્તુઓ છે કે જે જીવનને સહેલું બનાવે છે. તમારા માથી કેટલાને લાગે છે કે આ માર્ગ પર આવ્યા પછી વસ્તુઓ હવે સહેલાઈથી થઈ રહી છે? હવે સંઘર્ષ નથી.

પ્ર: પ્રિય ગુરુજી, હું મારા ઘરનો રસ્તો જાતે કેવી રીતે શોધી શકું?

શ્રી શ્રી રવિશંકર: આ કોણ પૂછી રહ્યું છે? છોડી દો! તમે શું પકડી રાખ્યુ છે? તમે ઘર માં જ (આખરી મંજિલ) છો! જાગો! જાગો, તે તમારી તીવ્ર ઈચ્છા છે, કે જે તમને એક ભ્રમમાં રાખે છે કે તમે તમારા ઘરથી ખૂબ દૂર છો. અને તીવ્ર ઈચ્છા શેની છે – મોજશોખની, સામાજીક મોભાની. અને આ બધા આનંદ માં તમને શું મળે છે? પાંચ મિનિટ અથવા દસ મિનિટની થોડી સંવેદના અને થોડી ઉત્તેજના; એ સિવાય બીજું શું છે? કઈંજ નહીં! કશુ જ નહીં! એના અંતે તમારા હાથ બળી ગયા, તમારું હૃદય અને મન ઉજડી ગયા. તમારે બીજું શું જોઈએ?

અરે, જ્યારે તમે ઘરે પાછા જવા માંગો છો, તે આંખના એક પલકારા કરતાં વધુ નહીં લાગે. એટલે કે તે એક ક્ષણ કરતાં વધુ સમય નહીં લે. જાગો અને જુઓ! જાગો અને અહેસાસ કરો કે તમે પહેલેથી ત્યાંજ છો. તમારા મગજમાં આ કરોળિયાના જાળા તમારા પોતાના જ બનાવેલા છે. તમે જાણો છો કરોળિયા કેવી રીતે તેના પોતાના જાળા બનાવે છે. કોણ તે કરે છે? બીજુ કોઈ નહીં તે પોતેજ તેની પોતાની લાળથી જાળા બનાવે છે, અને પોતે તે જાળામાં ફસાઈ જાય છે અને માને છે કે’ હું મરી રહ્યો છું!’. તમે વિશ્વને દોષ આપો છો; લોકોને દોષ આપો છો, પરિસ્થિતિને દોષ આપો છો અને તમારા પોતાના મનને દોષ આપો છો. તમારા મનને પણ દોષ આપવાનુ બંધ કરી દો. જાગો અને જુઓ,બસ!

મૃત્યુ ગમે તે સમયે તમારું બધું લૂંટી શકે છે, એક મિનિટમાં. એક મિનિટ પણ નહીં લાગે. એક મિનિટમાં મૃત્યુ તમારું જે કંઇ છે તે લૂંટી લેશે. તે પહેલાં કે મૃત્યુ તમને લૂંટી લે, હું તમને કહુ છું જવા દો. પછી તમે મુક્ત છો અને તમને લાગશે કે હું ઘરેજ છું. એક દિવસ મૃત્યુ તમારી પાસેથી બધું લૂંટી લેશે; તમારું ઘર, તમારા સ્નેહીજનો, તમારી કાર, ઘરેણાં, તમારા ફ્રિજ, બધું જતુ રહેશે. હકીકતમાં, તે બધુ અહીં હશે, તમે જતા રહેશો. તે ઉલટુ છે. જાગો અને જુઓ કે કંઇ તમારું નથી. તમે કહી ન શકો કે – ‘મારુ કંઇ જ નથી!’ ‘મારુ કંઇ જ નથી’ અને તમે ઘરે છો. હું તમને કહું છું એમ માનવું એજ સ્વતંત્રતા છે. મારો અર્થ એવો નથી કે જાઓ અને તમારુ બેંક બેલેન્સ ખાલી કરી દો. બધું આપી દો. બેન્ક માં પૈસા રાખો, તમારા મગજમાં નહીં, સમજ્યા? તમને લોભ નહીં હોય, તમને ગુસ્સો નહીં આવે, તમે માલિકી નહીં જતાવો અથવા ઇર્ષ્યા નહીં કરો. ફક્ત યાદ રાખીને કે એક અનિવાર્ય સત્ય જે તમારા જીવનમાં ઘટવાનું છે, તમે એક દિવસ મૃત્યુ પામશો! તમારે આ જાણવા પુસ્તકો વાંચવાની જરૂર નથી. આ એક સ્પષ્ટ સત્ય છે. તમારે ધર્મગ્રંથો માંથી જાણવાની જરૂર નથી કે તમે મૃત્યુ પામશો. આ એક વસ્તુ ની પ્રતીતિ તમારા જીવન માં રૂપાંતર લાવવા માટે પૂરતી છે. હિંમત, ખાતરી, અને પ્રતીતિ તેજ ખરા અર્થમાં શાણપણ છે. પ્રથમ અનુભૂતિ, અને પછી હિંમત અને ખાતરી સ્વતંત્રતા લઈ આવે છે. પછીજ ખરા અર્થમાં ધ્યાન થાય છે. ત્યાં સુધી તમે તમારી આંખો ખોલો અને બંધ કરો અને ફરીથી ખોલો અને બંધ કરી બેસો છો. હા, ત્યાં ધ્યાનમાં અમુક શાંતિનો અનુભવ થાય છે, પણ તેથી વધુ કંઇ નહીં.

પ્ર: શિક્ષક તરીકે, એ લોકો કે જે કોર્સ કરીને અભ્યાસ નથી કરતા તેમની સાથેના વ્યવહારમાં હતાશા દૂર કેવી રીતે કરુ? તેમને અભ્યાસ માટે દબાણ કરવું બરાબર છે કે તેમને છોડી દેવુ વધુ સારુ રહેશે?

શ્રી શ્રી રવિશંકર: જુઓ, તેમને અભ્યાસ માટે દબાણ કરવાની જરૂર નથી, પરંતુ ધીમેધીમે તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરો. જો તમે દબાણ કરશો તો, તે ઊંધી અસર થશે. પરંતુ તે માટે પ્રોત્સાહન આપવું સારુ છે. તમારે હંમેશા લોકોને કંઈક સારુ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. આજકાલ લોકોને સારું કરવાની ટેવ નથી. તમારે તેમને આગળ ધકેલવા પડશે, તેમને પ્રોત્સાહિત કરવા પડશે. તમે ચોક્કસ પણે તે કરી શકો છો. પરંતુ પછી, ત્યાં તમારે હતાશ થવાનો કોઈ મતલબ નથી. તમે થાય - 'ઓહ, તે બધા તેમનો અભ્યાસ કરે.' તમારો તે અભિગમ તેમને મદદ કરી શકે છે. તે આષિશ અથવા પ્રાર્થના પોતે મદદ કરશે. એક વાત યાદ રાખો કે, એવા ઘણા લોકો છે જે કોર્સ કરે છે, તેઓ સંતોષ પામે છે, તેઓ ખુશ છે અને પછી તેઓ દૂર જાય છે. આ એવું છે કે એક વ્યકિત જે ભૂખ્યો હતો તે રેસ્ટોરન્ટ માં જઈ પેટ ભરીને ખાય છે. જો તેમનું પેટ ભરેલુ હશે તો તેઓ ખોરાક વિશે ફરીથી આગામી થોડા કલાકો સુધી વિચાર કરશે નહીં. બરાબર? એ જ રીતે, લોકો કોર્સ કરવાથી એટલા સંતુષ્ટ હોય છે, તેઓ પૂર્ણતાનો અહેસાસ કરે છે, તેથી અમુક સમય માટે તેમને અભ્યાસ કરવાનો વિચારો નથી આવતો. જ્યારે અમુક ખાલીપણાની લાગણી થાય , પછી તેઓ પાછા આવે છે. આ વાત છે!

જ્યારે તમે સારી રીતે ખાધું હોય, ત્યારે તમે બીજા સાત દસ કલાક માટે અથવા કદાચ એક દિવસ માટે ખોરાક વિશે વિચારતા નથી. બરાબર આવુંજ થાય છે. તમે તેમને સંપૂર્ણ ભોજન આપો છો, કેટલું પૌષ્ટિક, કેટલું સંતોષજનક, કેટલુ સ્વાદિષ્ટ કે જે ખાય છે તેઓ અમુક સમય માટે પાછા આવતા નથી. પરંતુ તેઓ ચોક્કસ પણે પાછા આવશે. પરંતુ જો તમે તેમને અભ્યાસ ન કરવા માટે વારંવાર અપરાધ ભાવનો અનુભવ કરાવશો, તો તે લાગણી તેમને અભ્યાસથી દૂર પણ રાખી શકે છે. તેમને અપરાધ ભાવનો અનુભવ ન કરવા દો. તેમને કહો, 'તમે અહીં જે શીખ્યા છો, તેનો અભ્યાસ કરવો સારો છે, પરંતુ જો તમે તે ન પણ કરો, તો કોઈ વાંધો નથી. ઓછામાં ઓછુ ક્યારેક જરૂર આવજો.' નહીંતર તેમને લાગે છે કે, 'ઓહ હું આ શીખ્યો અને મે પ્રેક્ટિસ નથી કરી. હવે હું જઈને શિક્ષકનો સામનો કરી કેવી રીતે કરુ?' અને, તેઓ આવી તમને મળે અને તમે ફરીથી ઠપકો આપો કે ‘જુઓ તમે તમારો અભ્યાસ નથી કર્યો’

માત્ર એટલું યાદ રાખો, તમને શાળામાં એવા શિક્ષક ને મળવું ક્યારેય નહોતુ ગમતું જે ફુટપટ્ટી લઈ કહે કે આજે તમે હોમવર્ક નથી કર્યુ. મને યાદ છે આવા કેટલાક શિક્ષકો હતા. ખાસ કરીને એક શિક્ષક જે હંમેશા વિદ્યાર્થીઓને પૂછતા કે તેમણે તેમનું હોમવર્ક કર્યું છે કે નહીં, અને તેમને સજા કરતા. તેથી બાળકો તે શિક્ષકને ટાળવાનો પ્રયત્ન કરતાકારણ કે શિક્ષક તેમને દરેક સમયે પૂછતા 'અરે, તમે તમારું હોમવર્ક કર્યું?' અન્ય શિક્ષકો વધુ પૂછતા નહીં. તમે તે શિક્ષકને ટાળવા માંગો છો જે તમે શું નથી કર્યું તે પકડે છે. તેથી કોઇ વ્યકિત માં અપરાધ ભાવ ન જગાવો. જ્યારે તેઓ ભૂખ્યા થશે તે પાછા આવશે.

મેં એવા લોકો જોયા છે જેમણે દસ વર્ષ પહેલાં કોર્સ કર્યો હતો, કે છેલ્લા દસ વર્ષથી ધ્યાનની શીબિર માં નહોતા આવ્યા, તે પાછા આવ્યા. જ્યારે જરૂર હશે, તેઓ ચોક્કસ પણે પાછા આવશે. અને તમારી પાસે સૌથી સ્વાદિષ્ટ મેનુ છે!

પ્ર: વિરોધી મૂલ્યો પૂરક છે. શું પ્રેમનું પૂરક છે કે તેનું વિપરીત છે?

શ્રી શ્રી રવિશંકર: મને લાગે છે કે તમે મારા ભક્તિ સૂત્રની વાત સાંભળી નથી. તમારે તે સાંભળવી જોઈએ. એક પ્રેમ છે જેમાં તિરસ્કાર છે. પ્રેમનુ અન્ય સ્તર કે જ્યાં કંઇ વિપરીત નથી - તે દિવ્ય પ્રેમ છે; કે આધ્યાત્મિક પ્રેમ છે. એક લાગણીશીલ પ્રેમ છે - 'ઓહ, હું તમને પ્રેમ કરું છું, તમને પ્રેમ કરુ છું’, અને પછી તમે કહેશો, 'તમે મને દીઠા પણ નથી ગમતા!' તમે કહેશો, 'હની, હની, હની ', અને પછી તમે ડાયાબિટીક બની જાવ છો.